આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
એક સમે ભર કચેરીમાં બાદશાહે બીરબલને પુછ્યું કે, આપણા આ નગરમાં કેટલા કાગડા હશે ? બીરબલે કંઇ પણ વિચાર કર્યા વગર ભર કચેરીમાં કહ્યું કે, નામવર ! સાહઠ હજાર પાંચસો ને બાવન કાગડા છે ? આ જવાબ સાંભળી તમામ દરબાર છક બની ગઇ. બાદશાહે પુછ્યું કે, કદાચ એથી ઓછા વધતા હોય તો ? બીરબલે કહ્યું કે સરકાર ! જો મારી ગણતરીથી ઓછા થાય તો જાણુવું કે તેટલા કાગડા પોતાના સ્નેહીઓને મળવા માટે બહારગામ ગયા છે. અને જો વધારે થાય તો જાણવું કે બહારથી પોતાના સ્નેહીઓના સમાચાર લેવા આવ્યા છે ? બીરબલની આવી તર્કશક્તિનો ચમત્કાર જોઇ બાદશાહ ઘણો ખુશી થયો.