બીરબલ વિનોદ/આકાશમાં તારા કેટલા?

વિકિસ્રોતમાંથી
← સત્તાવીસમાંથી નવ જતાં બાકી કાંઈ નહીં બીરબલ વિનોદ
આકાશમાં તારા કેટલા?
બદ્રનિઝામી–રાહતી
હથેલીમાં વાળ →


વાર્તા ૨૧.

આકાશમાં તારા કેટલા ?

એક પ્રસંગે બાદશાહે બીરબલને પૂછયું “ બીરબલ ! આકાશમાં તારા કેટલા હશે ? બીરબલે તરતજ બગીચામાં આવેલા એક મોટા આમલીના ઝાડ તરફ આંગળી બતાવી કહ્યું “હુઝુર પેલા વચલા આમલીના ઝાડનાં જેટલા પાંદડા છે એથી સવાયા આકાશમાં તારા છે, એટલે એ પાંદડાઓને ગણી તેનો હીસાબ લગાવી લો.” આ હાજર જવાબી સાંભળી બધા ખુશ થયા અને બાદશાહે બીરબલને ભારે સરપાવ આપ્યો.