બીરબલ વિનોદ/કઈ ઋતુ સારી?

વિકિસ્રોતમાંથી
← ચારે ગુણ સ્ત્રીમાં બીરબલ વિનોદ
કઈ ઋતુ સારી?
બદ્રનિઝામી–રાહતી
રાત્રિ દિવસ કોણ રળે? →


વાર્તા ૩૩.

કઈ ઋતુ સારી.

બાદશાહે એક વેળા બીરબલને પૂછ્યું “બીરબલ ! શીયાળો, ઉનાળો અને ચોમાસું એ ત્રણેમાંથી કઈ ઋતુ સારી ?”

બીરબલે કહ્યું “ નામદાર! હું તો સર્વ કાળ કરતાં વર્ષાકાળને અધિક સારો ગણું છું, કેમકે તેના યોગે ધાન્ય પાકે છે અને રાજા તથા રંકને પોષે છે. એ ન હોય તો સર્વ નકામું.”

બાદશાહે તે વાત કબુલ રાખી, ધન્યવાદ આપ્યો.