બીરબલ વિનોદ/બીરબલ હંસે તો મેંહ બરસે

વિકિસ્રોતમાંથી
← એ શું કરે છે? બીરબલ વિનોદ
બીરબલ હંસે તો મેંહ બરસે
બદ્રનિઝામી–રાહતી
હીંમતે મર્દા તો મદદે ખુદા →


વાર્તા ૧૫૦.
બીરબલ હંસે તો મેહ બરસે.

એક વેળા અકબરના રાજ્યમાં વરસાદ વરસ્યો નહીં અને પ્રજાને ઘણુંજ કષ્ટ વેઠવું પડ્યું. અન્ન ન મળવાથી લોકો ભૂખે મરવા લાગ્યા, એટલે બાદશાહે જ્યોતિષીઓને બોલાવી પૂછયું. જોશીઓએ કહ્યું “જો બીરબલ હંસે તો વરસાદ વરસે.” એ સાંભળી બાદશાહે અનેક પ્રકારની ઉપ- હાસ્યજન્ય વાતો કહી બીરબલને હંસાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બીરબલ ન હસ્યો. બાદશાહે ગુસ્સે થઈ તેને શહેરમાંથી કાઢી મૂક્યો. બીરબલ ચાલતાં ચાલતાં સંધ્યા થઈ જવાને કારણે, એક બુરજ ઉપર જઇને બેઠો. દૈવસંયોગે એક કુંભાર પોતાનો ગધેડો શોધવા નીકળ્યો હતો, તે પણ સ્હાંજ પડી જતાં એ બુરજ ઉપર આવી એક ખૂણામાં જઈ બેઠો. થોડીવાર પછી એક શેરડીવાળો શેરડીનો ભારો લઈ ત્યાંજ આવી લાગ્યો અને એક ખૂણામાં તે ભારી મૂકીને બેઠો. એવામાં એક આંધળો અને આંધળી પણ ત્યાં આવી પહોંચ્યા. રાત્રે આંધળાને કામદેવે સતાવવા માંડ્યો એટલે તે આંધળી જોડે સંભોગ કરવા લાગ્યો. આંધળીએ કહ્યું “શું કરે છે ! કોઈ જાતું હશે તો ?” આંધળાએ ઉત્તર આપ્યો “છાની રહે, કોઈ જોતું નથી. અત્યારે મ્હને ત્રિલોકી દેખાય છે.”

આ સાંભળી ગધેડાવાળાએ કહ્યું “ભાઈ ! જો તને ત્રિલોકની સર્વ વસ્તુઓ જણાતી હોય, તો મહેરબાની કરીને મારો ગધેડો હાલ ક્યાં છે એ કહે.”

કુંભારનો આ પ્રશ્ન સાંભળી આંધળીએ પેલા અંધને કહ્યું “ અરે, કાઢી લે.”

આ વાત સાંભળી શેરડીવાળો સમજ્યો કે કદાચ પેલા ભારામાંથી શેરડી કાઢી લેવાનું કહેતી હશે, એટલે તેણે કહ્યું “ભાઈ ! લગાર વિચાર કરીને કાઢજે. શેરડીઓ મ્હારી ગણેલી છે. જો તારે ખાવી હોય તે માંગી લે, પણ જો ચોરી કરી તો તારું માથું તોડી નાંખીશ.”

આ બનાવ જોઈ બીરબલને હસવું આવ્યું અને તરતજ વરસાદ વરસવા લાગ્યો. વરસાદ વરસતાં બાદશાહે બીરબલને શેાધી મંગાવ્યો અને તેને હંસવાનું કારણ પૂછ્યું. ત્યારે બીરબલે બધો વૃત્તાંત કહી સંભળાવ્યો, જે સાંભળીને બાદશાહ પણ હસતાં હસતાં લોટી પડ્યો.