બીરબલ વિનોદ/ લોટા નથી

વિકિસ્રોતમાંથી
← કુરઆનની મીંડા વિનાની ટીકા બીરબલ વિનોદ
લોટા નથી
બદ્રનિઝામી–રાહતી
ચાર પ્રશ્નો →


વાર્તા ૫૫.

લોટા નથા.


એક વેળા બાદશાહે બીરબલને પુછ્યું “બ્રાહ્મન પ્યાસા ક્યોં? ગધા ઉદાસ ક્યોં?” બીરબલે બન્ને પ્રશ્નનોનો એક જ ટુંકો જવાબ આપી દીધો “હુઝૂર લોટા નથા.” અર્થાત્ બ્રાહ્મણ પાસે લોટો ન હોવાથી તે તરસ્યો રહ્યો અને ગધેડા આળોટ્યા વગર ઉદાસ રહે.