રસિકવલ્લભ/પદ-૧૦૯

વિકિસ્રોતમાંથી
← પદ-૧૦૮ રસિકવલ્લભ
પદ-૧૦૯
દયારામ


પદ ૧૦૮ મું

'રસિકવલ્લભ' આ શુભ ગ્રંથજી, વર્ણન કીધો પુષ્ટિપંથજી;
પૂર્ણ કરાવ્યો ગુરુ ગોવિંદજી, દૈવી જન દેવા આનંદજી.
રસિકજનને વલ્લભ લાગેજી, સઘળા સંશય સુણતાં ભાગેજી;
કહ્યા પ્રમાણે આચરણ કરશેજી, તે વ્રજવલ્લભ પ્રભુને વરશેજી.

ઢાળ.

વરશે હરિ ઠરશે વૃંદાવન, અચલ લીલામાંહ;
શ્રી રાધિકાવર ગોપિકા સંગ રાસ ખેલે જ્યાંહ.
સહુ પાપ મહાસંતાપ સમશે, થશે નિત્યાનંદ;
મન કર્મ વચન નિષ્કપટ ભાવે, સેવતાં ગોવિંદ.
શ્રીનર્મદાતટ ચંડિપુરી, શ્રી શેષશાયી નિવાસ;
ત્યાંનો નિવાસી કવિજન, શ્રીકૃષ્ણ કેરો દાસ.
શ્રીમંત ભટ સાઠોદરા, દ્વિજ જ્ઞાતિ નાગર વંશ;
પ્રભુરામ સુત કવિ દયાશંકર નામ, શ્રીહરિ અંશ.
શક અષ્ટાદશ ચોરાશી શ્રાવણ એકાદશી ગુરુવાર;
છે અમલ પક્ષોચ્છવ દિવસ, આ ગ્રંથનો નિરતાર.
શ્રીગોપીપતિ જન દયાનો, નિજ જાણી ઝાલ્યો હાથ,
દૃઢ પ્રેમ ભક્તિ આપની, આપો ધરોપદ નાથ.
પ્રતિપદ ચરણ દશ એવાં પદ મેં, અષ્ટોત્તર શત કીધ;
શ્રીનાથજી કરુણા કરી એ, કરજો ગ્રંથ પ્રસિધ્ધ.

સમાપ્ત.