રસિકવલ્લભ/પદ-૨૧

વિકિસ્રોતમાંથી
← પદ-૨૦ રસિકવલ્લભ
પદ-૨૧
દયારામ
પદ-૨૨ →


પદ ૨૦ મું

તજિ સુંદર શ્રીહરિની સેવાજી, કરે ઉપાસન દેવી દેવાજી;
તે જ્યમ તરશ્યો ગંગ અનુપજી, તજિને તીરે ખોદે કૂપજી.
સુર પૂજે મૂકી જગદીશજી, તજિ કામદુધા દુહે મહિષજી;
કહે નિગમાગમ એ ફરિ ફરિનેજી, ભજો સદા સ્હૌ એક હરિનેજી.

ઢાળ

શ્રીહરિ તજી કલ્યાણ ઇચ્છે, બાળ અવરાધાર;
જ્યમ શ્વાન પુચ્છ ગ્રહી ધરે, મન જવા સાગરપાર.
એ સર્વ વાતો વેવલાં છે. મનભ્રમવા વ્યર્થ,
એક કેવળ શ્રીહરિશરણ વણ, નથી સર્યો કોઇનો અર્થ.
શ્રીકૃષ્ણ શ્રીમુખ કહ્યું બહુ, 'પ્રિય મુને દાસ અનન્ય;
અતિ દુરાચારી તદપિ સાધુ, શ્રેષ્ઠ માહારે મન્ય.'
વળિ કહ્યું હારીતસ્મૃતિમાં પાંડવી ગીતામાંહે;
તે વચન કેરો અર્થ માત્રજ, લખું છું હું આંહે.
'નમવું નહિ અન્ય દેવને, નિરખવા નહિ ન પ્રસાદ;
મંદિર જવું નહિ યદપિ, કોઈની પડતી હોય મરજાદ.
વદવું સ્મરવું સેવવું, ચિંતનાશ્રય શ્રવણાદિ;
અન્યનું ન કરવું દયા પ્રીતમ, કૃષ્ણ રસ જે સ્વાદી.'