રસિકવલ્લભ/પદ-૨૨
← પદ-૨૧ | રસિકવલ્લભ પદ-૨૨ દયારામ |
પદ-૨૩ → |
<poem>
પદ ૨૨ મું ભગવાનની વ્યાપકતા
વિશ્વ સકળ છે હરિનું રૂપજી, એકાંશે વ્યાપક વ્રજભૂપજી; કરતા હરતા પોષક સ્વામીજી, સહુ ઘટવાસી અંતરયામીજી.
માટે કોઈનો દ્રોહ ન કરવોજી, હરિ દુખાશે એ ભય ધરવોજી; જે તે રીતે કોઈ તનુધારીજી, સુખી કરતાં ખુશી કુંજવિહારીજી.
ઢાળ દશા એ જ પ્રભુ પ્રસન્નતામાં મુખ્ય કારણ
કુંજ વિહારી રાજી રહે, જો દયા સહુપર હોય; આત્મા ન કોઇનો દુઃખવે, નવ દોષ કોઈ કોઇનો જોય. ૩
સહુ દેવ હરિ અંગેથી ઉપન્યા, દાસ હરિનો જાણિ; નિંદા અરિશ્યા ના કરે પણ ભજે સારંગપાણિ. ૪
શ્રી કૃષ્ણચંદ્ર વિના ન કોઈની, ભીતિ કહે કોઈ તૃષ્ણ; સહેજે શિવાલય માર્ગે દીઠું, કરવા જયશ્રીકૃષ્ણ. ૫
હરિમાં સર્વનો સમાવેશ
હરિને વિષે સહુ વિશ્વ તે, હરિ પૂજતાં પૂજાય; કોઈ કહે હું હરિમાં નથી, તેને પુજે અમારી બલાય. ૬
પ્રતિ પશુ પશુસેં ચિસાડો પ્રતિ પોલીએ શું મોંણ ? સમજુ ન દેવા વિસરે, વડિ વડિ પ્રત્યે લોંણ. ૭
શિવ સ્ફુટ નમ્યા નહિ દક્ષને, દેખી દેહાભિમાન; જન દયા પ્રીતમ કૃષ્ણ અંતરયામિ નમિયા ધ્યાન. ૮
(પૂર્ણ)