રસિકવલ્લભ/પદ-૫૭
← પદ-૫૮ | રસિકવલ્લભ પદ-૫૭ દયારામ |
પદ-૫૮ → |
તારે સગી સહુ હરિભગતજી, જે કો આશ્રિત હોય જનજગતજી; દેહરસિક જે જીવને વળગાજી, હરિરસ વેળા ન કરે અળગાજી. ૧ સહુ સહુ ભક્તે ભજનાનંદજી, આશિશ દે તનને ગોવિંદજી; ત્યહાં પણ સેવા અવર ન તૃષ્ણજી, પરલોકે પણ ભજવા કૃષ્ણજી. ૨
ઢાળ
ઇન્દ્રિયોનો પ્રભુસેવામાં થવો જોઈતો વિનિયોગ શ્રીકૃષ્ણની સેવા કરે કર, ચરણ દર્શન ધાય; નેત્ર તો નટવર છબિ નિહાળે, શ્રવણ કૃષ્ણ કથાય. ૩ વર્ણન કરે વાણી હરિ, ગુણ પદ કમળ મન ધ્યાન; ઘ્રાણને પુષ્પ પ્રસાદિ તુલસી, ચરણોદક મુખપાન. ૪ શિર નમે હરિ ગુરુ સંત, દંડવત્, સર્વાંગે પ્રણામ; સહુ સમરપી દાસ થઈ માગે, ભક્તિ સંદર શ્યામ. ૫ ભક્તિનું ફળ ભગવંત નિજ, જ્ઞાનદિનું ફળમોક્ષ; રસિક ને રૂપ રસાળ પ્રિય, નિર્વાણ ન રુચે રુક્ષ. ૬
ભક્તિનો જ્ઞાન અને વૈરાગ્ય સાથે સંબંધ
એ ભક્તિના બે પુત્ર છે, જ્ઞાન, વૈરાગ્ય કહાવે; જ્યાં ગાય ઘરમાં આવી સહેજે, વત્સ ચાલ્યાં આવે. ૭ કર્તવ્ય કશું તેહને નથી, મળી પ્રેમભક્તિ અનુપ; જન દયાપ્રીતમ કૃષ્ણમન, મોહિની રાધારૂપ. ૮ -૦-