રસિકવલ્લભ/પદ-૯૦

વિકિસ્રોતમાંથી
← પદ-૮૯ રસિકવલ્લભ
પદ-૯૦
દયારામ
પદ-૯૧ →


પદ ૮૯ મું

તીર્થ પુષ્કરાદિક જગ જેહજી; શ્રીગંગદિક સરિતા તેહજી;
હરિ આદિ સુર ક્ષણ ન ખસેછેજી, તુલસીદલને વિષે વસેછેજી.

તુલસી વન જ્યાં હોય અભિરામજી, ત્યાં બે ઘડી જે કરે વિશ્રામજી;
કોટિ જન્મનાં મહાઅધ છૂટેજી, અલગ અવિદ્યા કાલ ન કુટેજી.

ઢાળ

કુટે ન કામાદિક સહુ, અધ દુઃખ દહે દર્શન;
અભુવંદને મહારોગ નાશે, સ્પર્શ પાવન તન.
સિંચતાં તુલસી ત્રાસ અંતક, મહાપદ યશ કાન;
હરિ ચરણ દલ અર્પ્યે અમિત ફલ, પરમાનંદ ગુનગાન.
શ્રી તુલસીકાષ્ઠાગ્નિ થકી, દહ્યું હોય જેનું શરીર,
તેને ન પુનરાવૃત્તિ કો દિન, વણ ભજે યદુવીર.
અગમ્યાગમનાદિ મહાપાતક ગળ્યો કદિ હોય;
તોહે પ્રેત ન થાય, વસે વૈકુંઠ તીર્થ પ્રાપ્ત ન કોય.
હરિ અર્થ રોપી કોમલ દલ, હરિ ચરણ અર્પે જેહ;
અપરાધ અગણિત દગ્ધ કરિ, હોય કૃષ્ણવલ્લભ તેહ.
શ્રી તુલસી નિર્મલ નામ જપથી, સદા પૂરણ કામ;
અતિ દયા પ્રીતમ પ્રીત્યે, વૃંદાવન વૃંદા નામ.