રસિકવલ્લભ/પદ-૯૧

વિકિસ્રોતમાંથી
← પદ-૯૦ રસિકવલ્લભ
પદ-૯૧
દયારામ
પદ-૯૨ →


પદ ૯૦ મું

તુલસીદલ ઉતર્યું જગદીશજી, ભ્રમણ કરે જે ધરી ઉરશિશજી;
પ્રતિપદ ફલ લે દશ હયમેઘજી, નિશ્ચે નિશ્ચે નહીં અણુ વેધજી.
તુલસીકાષ્ટની રચિત સુદામજી, ધરે પ્રસાદી શ્રીઘનશ્યામજી;
પાપરહિત નિશ્ચે છે તેહજી, વહન કરે ભક્તિથી જેહજી.

ઢાળ

ભક્તિ સહિત ભૂષણ કરે, શુભ તુલસી કાષ્ઠની માળ;
તેને પ્રાયશ્ચિત નહિ, નહિ અશુચિ તનુ કો કાલ.
કાષ્ઠ સુકું પત્ર વા, તુલસી તણું જે ઘેર;
ત્યાં પાપનો ન સંબંધ કદિ, નિત્યે સુમતિ હરિમેર.
ગ્રીવ કાષ્ઠ તુલસી માલા લખી, યમદૂત દૂર પલાય;
કૃતિ દેવ પિત્રી સુકૃત સઘળું, કોટિ ઘણું થઈ જાય.
દુર્નિમિત્ત ન , દુરસ્વપ્ન ભય નહિ, ઉભય લોકાનંદ;
નિશ્ચલ સદા શ્રીકૃષ્ણ ભક્તિ, નહિ કદાપિ મંદ.

નથી માળ તુળસીકાષ્ઠ ધરતાં, પાપ મોહિત મુગ્ધ;
તેને ન નરકથી નિવૃત્તિ, હરિકોપાગ્નિથી દગ્ધ.
જે ધરે છે યજ્ઞિપવિવત્ સતત શ્રદ્ધાવંત;
જન દયાપ્રીતમ કૃષ્ણ વલ્લભ, સદા ગુરૂ સહ સંત.