રસિકવલ્લભ/પદ-૯૮

← પદ-૯૭ | રસિકવલ્લભ પદ-૯૮ દયારામ |
પદ-૯૯ → |
<poem> મન વિભૂતિ માનવ કેરીજી, જ્યમ ઇચ્છા ત્યમ નાખે ફેરીજી; જડ જ્ઞાની, જ્ઞાની જડ હોયજી, શોક હર્ષદા મન પણ નોયજી. ૧
જીવ સર્વેને ભાવે રૂડુંજી, ક્યમ થવા દે ચલણે કુડુંજી; સુખદુઃખ પ્રભુ આપ્યું સહુ લે છે જી, ચલણ નથી માટે સહી રહે છે જી. ૨
ઢાળ રહે છે સહુ જ્યમ રાખે હરિ. તું તદા પૂછીશ પ્રશ્ન; કો દુઃખી છે કો સુખી, ક્યમ ભેદ દૃષ્ટિ કૃષ્ણ. ૩
નથી ભેદ તો ભગવંતને ભવ ખેલ રચિ નિજ જોય; છે વિચિત્ર લીલા કૃષ્ણની ધણીનું ધણી નથી કોય. ૪
છે મૂલ જોતાં એમજ સહુ, પછી સમાધાન અનેક; નથી પુણ્ય પાપ પ્રભુ કશું, વિભુ વિરલ એહ વિવેક. ૫
'અહંમમ' ભાવનો ત્યાગ તથા સાર્થક્ય
નિપજે ન કશું કો તદપિ હુંપદ હરિ માયા જોર; ત્યારે અહં મમતા ટળે, કર ગ્રહે નંદકિશોર. ૬
હું હરિનો હરિ મહારા, મનથી એવું જ થાય; હરિ કૃપા તસ્કર વોળાવા, અહં મમ સફળ થઈ જાય. ૭
કૃતિ શુભાશુભ બલ દીપથી, પણ દીપ જેમ નિર્લેપ; ત્યમ દયાપ્રીતમ કૃષ્ણ બલ સહુ બને ન અડે ચેપ. ૮ -૦-