શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૨૨. માંગલિકનો પાઠ

વિકિસ્રોતમાંથી
← ૨૧. ચૌદ પ્રકારના સંમૂર્ચ્છિમ જીવ શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)
૨૨. માંગલિકનો પાઠ
જૈન ધાર્મિક સાહિત્ય
૨૩. પહેલું શ્રમણસૂત્ર - શય્યા સૂત્ર →


૨૨. માંગલિકનો પાઠ


ચત્તારિ મંગલં - ચાર પ્રકારના માંગલિક આ પ્રમાણે છે
અરિહંતા મંગલં - અરિહંત દેવો માંગલિક છે
સિદ્ધા મંગલં - સિધ્ધ ભગવાનો માંગલિક છે
સાહૂ મંગલં - સાધુ સાધ્વી માંગલિક છે
કેવલિ પન્નતો ધમ્મો મંગલં - કેવળીનો પ્રરૂપેલો ધર્મ માંગલિક છે
ચત્તારી લોગુત્તમા - લોકમાં ચાર ઉત્તમ છે
અરિહંતા લોગુત્તમા - અરિહંત દેવો લોકમાં ઉત્તમ છે
સિદ્ધા લોગુત્તમા - સિધ્ધ ભગવાન લોકમાં ઉત્તમ છે
સાહૂ લોગુત્તમા - સાધુ સાધ્વીઓ લોકમાં ઉત્તમ છે
કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમા - કેવળીનો પ્રરૂપેલો ધર્મ લોકમાં ઉત્તમ છે
ચત્તારી શરણં પવજ્જામિ - આ ચાર શરણને અંગીકાર કરું છું
અરિહંતા શરણં પવજ્જામિ - અરિહંતનું શરણ અંગીકાર કરું છું

સિદ્ધા શરણં પવજ્જામિ - સિધ્ધ ભગવંતોને શરણ અંગીકાર કરું છું
સાહૂ શરણં પવજ્જામિ - સાધુ સાધવીહજીઓનું શરણ અંગીકાર કરું છું
કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ - કેવળીનો પ્રરૂપેલ ધર્મ શરણ અંગીકાર કરું છું



એ ચાર મંગળ, ચાર ઉત્તમ, ચાર શરણા, કરે જેહ,
ભવ સાગરમાં ન ડૂબે તેહ, સકળ કર્મનો આણે અંત, મોક્ષ
તણાં સુખ લહે અનંત, ભાવ ધરીને જે ગુણ ગાય, તે
જીવ તરીને મોક્ષે જાય, સંસાર માંહી શરણાં ચાર,
અવર શરણ નહિ કોય જે નરનારી આદરે, તેને અક્ષય
અવિચળ પદ હોય, અંગુઠે અમ્રુત વસે, લબ્ધ તણા ભંડાર,
ગુરુ ગૌતમને સમરીએ, મનવાંછિત ફળ દાતાર
ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન

ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન


  1. આ સ્થાને ૨. કાઉસ્સગ્ગ સૂત્ર ના પાઠમાં 'ઈચ્છામિ ઠામિ, કાઉસ્સગં' શબ્દો છે , તે સ્થાને 'ઈચ્છામિ પડિક્કમિઉં જો, મે દેવસિઓ અઈયારો થી તસ્સ મિચ્છામિ દુક્કડં સુધીનો પૂરો પાઠ બોલવો.
  2. ત્યાર પછી * પાઠ ૩ જો ઈરિયાવહિયા ઈચ્છામિ પડિક્કમિઉં ઈરિયાવહિયા વહિયાએ થી તસ્સ મિચ્છામિ દુક્કડં સુધીનો પાઠ બોલવો'