શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૨૧. ચૌદ પ્રકારના સંમૂર્ચ્છિમ જીવ

વિકિસ્રોતમાંથી
← ૨૦. પચ્ચીશ પ્રકારના મિથ્યાત્વ શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)
૨૧. ચૌદ પ્રકારના સંમૂર્ચ્છિમ જીવ
જૈન ધાર્મિક સાહિત્ય
૨૨. માંગલિકનો પાઠ →


૨૧. ચૌદ પ્રકારના સંમૂર્ચ્છિમ જીવ

ચૌદ પ્રકારના સંમૂર્છિમ જીવ (મનુષ્ય) ઉપજે છે તે સબંધી પાપદોષ લાગ્યા હોય તે આલોઉં:

૧. ઉચ્ચારેસુ વા - ઝાડામાં ઉપજે તે અને (વડીનીતમાં ઉપજે તે)
૨. પાસવણેસુ વા - લઘુનીતમાં ઉપજે તે (પેશાબમાં ઉપજે તે)
૩. ખેલેસુ વા - બળખામાં ઉપજે તે
૪. સિંઘાણએસુ વા - નાકના લીટમાં ઉપજે તે
૫. વતેંસુ વા - વમનમાં ઉપજે તે
૬. પિત્તેસુ વા - પિત્તમાં ઉપજે તે
૭. પૂએસુ વા - પરુમાં ઉપજે તે
૮. સોણિએસુ વા - લોહીમાં ઉપજે તે
૯. સુક્કેસુ વા - વિર્યમાં ઉપજે તે

૧૦. સુક્ક પુગ્ગલ પારિસાડિયેસુ વા - વિર્યના પુદ્ગળ સુકાએલા ફરી ભીનાં થાય તેમાં ઊપજે તે
૧૧. વિગય જીવ કલેવરેસુ વા - જીવ ગયા પછી રહેલા કલેવરમાં ઉપજે તે
૧૨. ઈત્થી પુરિસ સંજોગેસુ વા - સ્ત્રી પરુષના સંયોગ વખતે ઉપજે તે
૧૩. નગર નિદ્ધમણે સુ વા - નગરની ખાબમાં ઉપજે તે
૧૪. સવ્વેસુ ચેવ અસુઈટ્ઠાણેસુ વા - બધા ગંદકીનાં ઠેકાણામાં ઉપજે તે

એ ચૌદ પ્રકારના સંમૂર્છિમ મનુષ્ય (જીવ) ની વિરાધના થઈ હોય અરિહંત અનંત સિદ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામી દુક્કડં


  1. આ સ્થાને ૨. કાઉસ્સગ્ગ સૂત્ર ના પાઠમાં 'ઈચ્છામિ ઠામિ, કાઉસ્સગં' શબ્દો છે , તે સ્થાને 'ઈચ્છામિ ઠામિ, આલોઉં', જો મે દેવસિઓથી, તસ્સ મિચ્છામિ દુક્કડં સુધીનો પૂરો પાઠ બોલવો.
  2. ત્યાર પછી પાઠ ૧ લો નમોક્કાર મંત્રનો પાઠ બોલવો'
  3. ત્યાર પછી અને પાઠ ૬ ઠ્ઠો કરેમિ ભંતેનો પાઠ બોલવો</poem>