શ્રી આનંદધન ચોવીશી/શ્રી અનંતનાથ સ્વામી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← શ્રી વિમલનાથ સ્વામી શ્રી આનંદધન ચોવીશી
શ્રી અનંતનાથ સ્વામી
આનંદધન
શ્રી ધર્મનાથ સ્વામી →
(ઢબ - પ્રભાતિયું અથવા અખિલ બ્રહ્માંડમાં એક તું )



(૧૪) શ્રી અનંતનાથ જિન સ્તવન

(રાગ: રામગિરિ પ્રભાતી)


ધાર તરવારની સોહલી દોહલી,
ચૌદમા જિનતની ચરણ સેવા,
ધાર પર નાચતા દેખ બાજીગરા,
સેવના ધાર પર ન રહે દેવા... ધાર તરવારની... ૧.

એક કહે એવીએ વિવિધ કિરિયા કરી,
ફલ અનેકાંત લ્ચન ન દેખે,
ફલ અનેકાંત કિરિયા કરી બાપડાં
રડવડે ચાર ગતિમાંહિ લેખે.... ધાર તરવારની... ૨

ગચ્છના ભેદ બહુ નયણે નિહાળતાં,
તત્ત્વની વાત કરતાં થકા;
ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકા,
મોહ નડિયા કલિકાક રાજે.... ધાર તરવારની... ૩


વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો,
વચન સાપેક્ષ વ્યવહાર સાચો,
વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ,
સાંભળી આદરી કાંઈ રાયો.... ધાર તરવારની... ૪

દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે,
કિમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણો,
શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ કિરિયા કરે,
છાર પર લીપણું તેહ જાણો.... ધાર તરવારની... ૫

પાપ નહિ કોઈ ઉત્સૂત્ર ભાષણ જિસ્યો
ધર્મ નહિં કોઈ જગસૂત્ર સરિખો,
સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે,
તેહનું શુદ્ધ ચારિત્ર પરીખો.... ધાર તરવારની... ૬

એહ ઉપદેશ સાર સંક્ષેપથી,
જે નરા ચિત્તમેં નિત્ય ધ્યાવે,
તે [૧]નરા દિવ્ય બહુકાળ સુખ અનુભવી,
નિયત[૨] આનંદધન રાજ પાવે [૩].... ધાર તરવારની... ૭


  1. આત્મા
  2. નક્કી
  3. પામે