શ્રી આનંદધન ચોવીશી/શ્રી ઋષભદેવ સ્વામી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
શ્રી આનંદધન ચોવીશી
શ્રી ઋષભદેવ સ્વામી
આનંદધન
શ્રી અજિતનાથ સ્વામી →
(રાગ:- મારુ - કરમ પરીક્ષા કરણ કુંવર ચલ્યો રે)



શ્રી આનંદઘન ચોવીશી

૧ ઋષભ જિન સ્તવન

(રાગ: મારું - કરમ પરીક્ષા કરણ કુંવર ચાલ્યો રે)


ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત;
રીઝ્‌યો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત... ઋષભ૦ ૧


પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીતિ સગાઈ ન કોય;
પ્રીતિ સગાઈ રે નિરુપાધિક કહી રે, સોપાધિક ધન ખોય... ઋષભ૦ ૨

કોઈ કંત કરણ કાઠ [૧] ભખ્ખણ કરે રે, મિલ શું કંત ને ધાય;
એ મેળો નવિ કહિયે [૨] સંભવે રે, મેળો ઠામ ન ઠાય... ઋષભ૦૩

કોઈ પતિરંજણને ઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ;
એ પતિરંજન મઈં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુ [૩] મિલાપ... ઋષભ૦ ૪

કોઈ કહે લીલા રે લલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ;
દોષ રહિતને રે લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ... ઋષભ૦ ૫

ચિત્ત પ્રસન્ને રે પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ;
કપટ રહિત થઈ આતમ અરપણા રે, "આનંદધન" પદ એહ... ઋષભ૦ ૬


  1. કાષ્ઠમાં બાળી મરે
  2. પાઠાંતર - કદીયે
  3. પ્રકૃતિ