શ્રી આનંદધન ચોવીશી/શ્રી કુંથુનાથ સ્વામી

વિકિસ્રોતમાંથી
← શ્રી શાંતિનાથ સ્વામી શ્રી આનંદધન ચોવીશી
શ્રી શાંતિનાથ સ્વામી
આનંદધન
શ્રી અરનાથ સ્વામી →
(રાગ - અંબર દેહુ મોરારી )



૧૭. શ્રી કુંથુનાથ જિન સ્તવન

(રાગ: રામકલી - અંબર દે હો મુરારિ હમારો...)


મનડું કિમ હિ ન બાઝે[૧], હો કુંથુજિન, મનડું કિમ હિ ન બાઝે;
જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અલગું ભાજે હો... કુંથુજિન... ૧

રજની વાસર વસતિ ઉજ્જડ ગયલ પાયાલે જાય;
સાપ ખાય ને મુખડું થોથું[૨], એહ ઉખાણો ન્યાય હો... કુંથુજિન... ૨

મુક્તિતણા અભિલાષી તપિયા, જ્ઞાનને ધ્યાન અભ્યાસે;
વયરીડું કાંઈ એહવું ચિંતે, નાખે અવળે પાસે હો... કુંથુજિન... ૩

આગમ આગમધરને હાથે, નાવે કોણવિધ આંકું;
કિહાં કણે જો હઠ કરી હટકું તો વ્યાલતણી પરે વાંકુ હો... કુંથુજિન... ૪

જો ઠગ કહું તો ઠગતું ન દેખું, શાહુકાર પણ નાંહી;
સર્વમાંહી ને સહુથી અલગું, એ અચરિજ મનમાંહી હો... કુંથુજિન... ૫

જે જે કહું તે કાન ન ધારે, આપમતે રહે કાલો;
સુરનર પંડિત જન સમજાવે. સમજે ન માહરો સાલો હો... કુંથુજિન... ૬


મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને ઠેલે;
બીજી વાતે સમર્થ છે નર, એહને કોઈ ન ઝેલે હો... કુંથુજિન... ૭

મન સાધ્યું તેને સઘળું સાધ્યું, એહ વાત નહિ ખોટી;
એમ કહે સાધ્યું તે નવિ માનું, એ કહી વાત છે મોટી હો... કુંથુજિન... ૮

મનડું દુરારાધ્ય તેં વશ આણ્યું, આગમથી મતિ આણું;
આનંદધન પ્રભુ માહરું આણો, તો સાચું કરી જાણું હો... કુંથુજિન... ૯


  1. વળગતું નથી
  2. ખાલી