શ્રી આનંદધન ચોવીશી/શ્રી પાર્શ્વનાથ સ્વામી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← શ્રી નેમિનાથ સ્વામી શ્રી આનંદધન ચોવીશી
શ્રી પાર્શ્વનાથ સ્વામી
આનંદધન
શ્રી મહાવીર સ્વામી →
(રાગ : સારંગ રસિયાની)



૨૩. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન

(રાગ: સારંગ / રસિયાનો)


ધ્રુવપદ રામી હો સ્વામી માહરા, નિઃકામી ગુણરાય સુજ્ઞાની;
નિજગુણ કામી હો પામી તું ધની, ધ્રુવ આરામી હો થાય સુજ્ઞાની... ધ્રુવપદ...

સર્વ વ્યાપી કહો સર્વ જાણંગપણે, પર પરિણમન સ્વરૂપ. સુજ્ઞાની...
પરરૂપે કહી તત્ત્વપણું નહીમ્, સ્વસત્તા ચિદ્ રૂપ સુજ્ઞાની... ધ્રુવપદ...

જ્ઞેય અનેકે હો જ્ઞાન અનેકતા, જલભાજન રવિ જેમ. સુજ્ઞાની...
દ્રવ્ય એકત્ત્વ પણે ગુણ એકતા, નિઅજ પદ રમતા હો ખેમ સુજ્ઞાની... ધ્રુવપદ...


પરક્ષેત્રે ગત જ્ઞેય જાણવે, પરક્ષેત્રે થયું જ્ઞાન. સુજ્ઞાની...
અસ્તિપણું નિજ ક્ષેત્રે તુમે કહ્યું, નિર્મલતા ગુણ માન સુજ્ઞાની... ધ્રુવપદ...

જ્ઞેય વિનાશે હો જ્ઞાન નિનશ્વરુ, કાળ પ્રમાણે રે થાય. સુજ્ઞાની...
સ્વકાળે કરી સ્વસત્તા સદા, તે પર રીતે ન જાય સુજ્ઞાની... ધ્રુવપદ...

પરભાવે કરી પરતા પામતા, સ્વસત્તા થિર ઠાણ. સુજ્ઞાની...
આત્મ ચતુષ્કમયી પરમાં નહીં, તો કિમ સહુનો રે જાણી સુજ્ઞાની... ધ્રુવપદ...
 
અગુરુલઘુ નિજગુણને દેખતાં, દ્રવ્ય સકલ દેખંત. સુજ્ઞાની...
સાધારણ ગુણની સાદ્યર્મ્યતા, દર્પણ જલને દૃષ્ટાંત સુજ્ઞાની... ધ્રુવપદ...

શ્રી પારસજિન પારસ રસ સમો, પણ ઈ હાં પારસ [૧]નાંહિ. સુજ્ઞાની...
પૂરણસીઓ હો નિજગુણ, પરસનો[૨], આનંદધન મુજ માંહિ સુજ્ઞાની... ધ્રુવપદ...


  1. પાયાણરૂપ પારસ નહીં.
  2. આત્મગુણરૂપ પારસનો.