આ તે શી માથાફોડ !/૩૨. કોનું માનવું ?

વિકિસ્રોતમાંથી
← ૩૧. બાપુપાસે જવું છે આ તે શી માથાફોડ !
૩૨. કોનું માનવું ?
ગિજુભાઈ બધેકા
૩૩. સૂડી વચ્ચે સોપારી →


: ૩૨ :
કોનું માનવું ?

બાપા કહે છે: “વહેલા ઊઠવું; વહેલાં ઊઠ્યે અક્કલ વધે.”

બા કહે છે: “ઊંઘ પૂરી થાય ત્યારે ઊઠવું, વહેલાં ઊઠ્યે ઊંઘ બગડે. દિ' બગડે.”

બાપા કહે છે : “થોડું ખાવું; ખૂબ ખાવાથી અળસ વધે.”

બા કહે છે : “ભાવે એટલું જ ખાવું, ભુખ હોય તો જ ખાવું.”

બાપા કહે છે : “એક જ વાર કળશે જવું, સવારમાં જ જવું.”

બા કહે છે : “લાગે ત્યારે જવું; રોકી રાખવું નહિ.”

બાપા કહે છે : “બપોર વચ્ચે ઊંઘવું નહિ; ઈ ટેવ ખરાબ.”

બા કહે છે : “ઊંઘ આવે તો ઊંઘવું; ન આવે તો નહિ.”