કુસુમમાળા/મંગળાચરણ

વિકિસ્રોતમાંથી
કુસુમમાળા
મંગળાચરણ
નરસિંહરાવ દિવેટિયા
અવતરણ →



નાચે ગાન કરી અમીનું ઝરણું, જ્ય્હાં પાન પ્રેમે કરે
કોડીલો કવિયો, અને અમૃત તે સત્કાવ્યમૂર્તિ ધરે;
જે’ને દિવ્ય વને રમે ઝરણું એ, તે શારદા મુજને,
આપો એક જ બિન્દુ એ ઝરણનું, એ માંગુ ત્હેની કને.