ગુજરાતની ગઝલો/માયાનો પ્રેમરૂપે બ્રહ્મભાવ

વિકિસ્રોતમાંથી
← નાદાન બુલબુલ ગુજરાતની ગઝલો
માયાનો પ્રેમરૂપે બ્રહ્મભાવ
[[સર્જક:|]]
૧૯૪૩
અમર આશા →


મણિલાલ દ્વિવેદી

૧૨ : માયાનો પ્રેમરૂપે બ્રહ્મભાવ


દિલશું દિલ લાગ્યા પછી ખેંચે શું તું ખિજાઈને ?
નયન ખેંચે કયાં હવે, મીઠી ખુમારી પાઈને ?

તારો દીવાનો તેં જ પાયો મુજને ઈશ્કેશરાબ,
માર કે જિવાડ ચાલે શું હવે લપટાઈને ?

ધિકક ! એ પ્રીતિ ન બોલે શું વિચારે ખ્વાબ તું ?
આંગળી હોઠે દઈ ઊભી રહી ગૂંચાઈને !

લટ અલક છટકી ગઈ ક્યાં વીજળી ઝંખાઈને ?
ક્યાં ગઈ ? હા ! કયાં ગઈ ? બ્રહ્માંડ બેઠી છાઈને !

તું જ બ્રહ્મા, તું જ વિષ્ણુ, દેવ તું, દાતાર તું;
હું તું ને શ્રીબ્રહ્મ તું રહી પ્રેમલીલા છાઈ એ !

નાસ્તિકોમાં મુખ્ય કે આસ્તિક કે ગાંડો કહો,
હું તું સર્વે એક કોઈ મર્મ એ સાહી લે !