ઝૂમકહાર શીદ તોડ્યો ?

વિકિસ્રોતમાંથી
ઝૂમકહાર શીદ તોડ્યો ?
મીરાંબાઈ



ઝૂમકહાર શીદ તોડ્યો ?


ઝૂમકહાર શીદ તોડ્યો ?

જળ જમુનાનાં ભરવાને ગ્યાં’તાં, ઘડૂલો મારો શીદ ફોડ્યો ?

વૃન્દાવનને મારગ જાતાં, કાંડું ઝાલીને હાર તોડ્યો.

પ્રીત કરી પણ કરતાં ન આવડી, નંદ આહીરનો છોરો.

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, નંદલાલ, આવને ઓરો.