ઢાંચો:રૂપક કૃતિ/ઓક્ટોબર
ભદ્રંભદ્રએ રમણભાઈ નીલકંઠની ગુજરાતી સાહિત્યમાં સિમાચિહ્નરૂપ ગણાતી હાસ્ય નવલકથા છે.
જૂનો ધર્મ, ભાષા અને સંસ્કૃતિના રક્ષણ અને પ્રચાર-પ્રસાર તથા સંવર્ધનના કાર્યને પોતાની એકમાત્ર જવાબદારી સમજીને મેદાને પડેલા અને સાથે સાથે તે સમયની સમાજમાં રહેલી ઊંચનીચની અને છૂતાછૂતની માન્યતાઓથી ઘેરાયેલા દોલતરામ ઉર્ફે ભદ્રંભદ્રની આ કથા છે.
'શાન્તં પાપમ્ ! અંબારામ, તું મને હવે એ અપવિત્ર નામે ન બોલાવીશ. મને શંકરે સાક્ષાત્ કહ્યું કે, 'ભક્ત ! તું તારા નામમાં 'દોલત' જેવા યાવની ભાષાના શબ્દને મારા દિવ્ય નામ સાથે જોડે છે ? એનું તને ભાન પણ નથી ! તું ધર્મિષ્ઠ છતાં આવું પાપાચરણ કરે છે ? મારા નામને આ લાંછન લાગ્યું છે ત્યારથી હું બળીબળીને અર્ધો થઈ ગયો છું. અંતે મને વિષ્ણુએ ઉપાય બતાવ્યો કે એ પાપીને-' હું ભયનો માર્યો બોલી ઊઠ્યો, 'મહારાજ પાપ તો મારી ફોઈનું છે. તેણે મારું નામ પાડ્યું છે. તેને સજા કરજો. હું તો નિરપરાધી છું મહારાજ, પગે પડું છું.' પગે પડતાં મેં શંકરને ત્રિશૂળ ફેરવતા દીઠા એટલે મારાથી 'ઓ બાપ રે' કરીને બૂમ પડાઇ ગઈ ને હું જાગી ઊઠ્યો. ગમે તેમ હોય પણ મારે હવે એ નામ બદલી નાખવું, પ્રાયશ્ચિત કરવું અને બીજું નામ ધારણ કરવું; એમ ન કરું તો મને બાળહત્યા ! ગૌહત્યા ! બ્રહ્મહત્યા ! ઓ શંકર ! ઓ શંકર ! શિવ ! શિવ ! શિવ !
આ ધાર્મિકતા જોઈને હું સાનન્દાશ્ચર્યથી ચકિત થઈ ગયો. મેં પણ એ નામ દઈ હજારો વાર શંકરનો અપરાધ કર્યો છે, એ વિચારથી હું ખિન્ન થઈ ગયો. મારા મિત્ર તો કહે કે, 'આપણે કાલે સવારે કાશી જઈ ત્યાં પ્રાયશ્ચિત કરીએ' પણ મેં સંભાર્યું કે 'કાલે તો મુંબાઇ જવું છે. ત્યાં પણ આપણા વેદધર્મના લાભનું પ્રયોજન છે. તમે તો ત્યાં ફત્તેહના ડંકા વગાડવાને તલપી રહ્યા છો અને ગમે તેવાં વિઘ્ન જીતીને જઈશ એમ સંકલ્પ કર્યો છે.'
''"'''[[**pagename**]]'''" (**short introductory statement**) [[સર્જક:**name**|]]. (**Summary statement about work**) '' [[File:**filename**.jpg|150px|right]] <!--80px if portrait orientation--> <div style="margin-left: 2em; font-size: 0.88em;"> (**snippet of starting text of work**) </div> :('''[[**pagename**|Read on...]]''')