નિહારિકા/અંધકાર ઊભરાય

વિકિસ્રોતમાંથી
← શું કરું ? નિહારિકા
અંધકાર ઊભરાય
રમણલાલ દેસાઈ
નેહ →


અંધકાર ઊભરાય


૦ રાગ-સારંગ ૦

કાજળકાળી રાતલડીમાં
અંધકાર ઊભરાય !
અં ધ કા ૨ ઊ ભ રા ય,
એમાં જગત તણાયું જાય–કાજળ

ચમકે પેલી તારક માલા;
કે શું દેવ ઉગામે ભાલા ?
હૃદય સદાય ઘવાય,
જો ને અંધકાર ઊભરાય !–કાજળ

વહેતી નયને આંસુધારા;
કે શું અગ્નિતણા ચમકારા ?
જીવન સદાય દઝાય !
જો ન અંધકાર ઉભરાય !–કાજળ