નિહારિકા/જોગીને સંદેશ

વિકિસ્રોતમાંથી
← આશા નિહારિકા
જોગીને સંદેશ
રમણલાલ દેસાઈ
વિધવા →


જોગીને સંદેશ


૦ લયા-વનવગડામાં ભૂલી પડી ત્યાં અમૃત પ્યાલો પધો જી ! ૦

ભ્રૂકુટીને મટકાવી, ભૂરકી ભભરાવી કો જોગી ગયા !
ઘેલી કરી એક ભોળી બાળા; અંતર અગ્નિ સળગાવ્યા !
મારા નાના જોગી સંતાયા !

વન વન ભટકી પગલાં ગોતું, સાદ કરું પડછાયાને,
બાલા જોગી મૌન ધરંતા; ગાળું મારી કાયાને.

ભણકારે હું ભૂલી પડું ને ભગવે રંગે ભ્રમિત બનું.
મનમોહનની ભ્રમણા જાગી, ભડભડ બળતું કુસુમ-તનુ.
 
પ્યાસી ભૂખી ભાન ભૂલી હું! નયણે આંસુધાર વહે.
પરદેશી જોગીને મારી અંતરવાતો કોણ કહે ?
 
હસતી આંખો, મરકલડાં મુખ, ખીંટળિયાળા કેશ ઝૂલે,
તપ ઝળહળતો દેખી કહેજો: વ્હાલીને એ કેમ ભૂલે ?