પૃષ્ઠ:Gramonnati.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 


(૭) દેશ પરાધીન હોવાથી યંત્રવાદનો જે લાભ પશ્ચિમ ઉઠાવી શક્યું તે લાભ ઉઠાવવાનું હિંદમાં ન બની શક્યું. હિંદના અંગ્રેજ માલિકો હિંદના ઉદ્યોગો ખીલવી હિંદને ઇન્ગ્લેન્ડના ઉદ્યોગ–હરીફ તરીકે શાના તૈયાર કરે ?
(૮) પરિણામે
(ક) ખેતીની દુર્દશા થઈ.
(ખ) ગ્રામજનતાના દેવામાં ગજબનો વધારો થયો.
(ગ) ચારે પાસ દારિદ્ર્‌ય ફેલાયું.
(ઘ) અને હિંદના આખા ગ્રામજીવનમાં નિરાશા, નિરૂત્સાહ અને નિસ્તેજપણું વ્યાપી ગયાં. ટૂંકામાં ગ્રામજીવન જીવવાને પાત્ર રહ્યું નહિ. તેનાં અનેક આકર્ષક તત્ત્વો ભસ્મિભૂત થયાં અને ગ્રામજીવન સ્મશાનવત્ બની ગયું.