પૃષ્ઠ:Gramonnati.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.





૧૬
સામાજિક ઉન્નતિ

ગ્રામજીવનની ઉન્નતિના પ્રશ્નો આપણે બહુ જ સામાન્ય ધોરણ પ્રમાણે બે વિભાગમાં વહેંચી નાખ્યા હતા : આર્થિક અને સામાજિક.

અર્થ અને સમાજનું
પરસ્પર અવલંબન

આર્થિક અને સામાજિક ઉન્નતિ એ બે વિભક્ત પ્રકાર નથી પરંતુ એક બીજા ઉપર અવલંબન કરી રહેલાં જીવનનાં બે પાસાં છે એ પ્રશ્ન ઉપર પણ આપણે ભાર મૂક્યો હતો. ખેડૂતના હાથમાં પૈસો હોય તો તે કેળવણી પણ મેળવી શકે, ચોખ્ખાઈ રાખી શકે અને માંદગીમાં સારી સારવાર પામી શકે. સામે પક્ષે એમ પણ કહી શકાય કે તેને કેળવણી મળે તો તે વધારે સારી ખેતી કરી શકે. ખેડૂત ચોખ્ખો રહે તો તેનું આરોગ્ય વધારે સારી રીતે સચવાય અને તે વધારે કામ કરી શકે, અને તે વધારે ધન મેળવી શકે.

પરાધીન પ્રજાનું
અર્થશાસ્ત્ર

પરંતુ આજના જગતમાં આર્થિક સિદ્ધાન્તો અતિ સ્વાર્થભર્યા, અનુદાર અને આંટીઘૂંટીવાળા બની ગયા છે. એમાં પૈસા માનવી માટે છે એવી ભાવના રહી નથી : માનવી પૈસા માટે છે એવી ભાવના આજની અર્થવ્યવસ્થા પાછળ રહી છે. ધનવહેંચણીની