પૃષ્ઠ:Gramonnati.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬ : ગ્રા મો ન્ન તિ
 


પ્રજામાં જાગ્રત કરી શકાય છે. જેટલી આપણી નબળાઈઓ એટલી બધી જ આપણી વિરુદ્ધ વાપરી શકાય છે.

એમાં શહેર અને ગ્રામના ભેદ; હિંદુ મુસ્લીમના ભેદ; શીયા સુન્નીનાં તડ, બ્રાહ્મણ અબ્રાહ્મણ અસ્પૃશ્યનાં તડ; એ બધું આપણા દેશહિત વિરુદ્ધ ઉપયોગમાં લઈ શકાય.

પ્રજાએ સ્વાતંત્ર્ય મેળવવું હોય તો સાધારણ પ્રયત્ને તે ન મળી શકે. મૃત્યુની તૈયારી અને નિદ્રાજીતપણું એ બે વૃત્તિઓને કેળવવી રહી. ગ્રામોન્નતિ એ સ્વાતંત્ર્યનો પાયો છે – એટલું જ નહિ, સ્વાતંત્ર્યની નિશાની છે. એટલે દરજ્જે ગામડાં આગળ આવે એટલે દરજ્જે આપણે સ્વાતંત્ર્યની આપણી પાત્રતા વધારી એમ કહી શકાય.

આર્થિક ઉન્નતિ કેટકેટલાં તત્ત્વો ઉપર રચાઈ છે તે આપણે જોઈ ગયા. એ આર્થિક ઉન્નતિમાં પરિણામ પામે એવી સમાજરચના કરવાના પ્રયત્નમાં સામાજિક પ્રગતિની સાધના થઈ શકે એમ છે. ઉન્નતિ-બન્ને પ્રકારની–દુર્ઘટ છે એ બહાના નીચે હાથ જોડી બેસી રહેવાય એમ નથી જ. દુર્ઘટને શક્ય બનાવવાના સર્વ પ્રયત્નો થવા જ જોઈએ ધ્યેયને પહોંચાય ત્યાં સુધી થવા જોઈએ. ગ્રામોઉન્નતિમાં નિરાશાને સ્થાન હોય જ નહિ. જે ક્ષણે નિરાશાને વશ થવાય તે ક્ષણે સમજવું કે આપણે પાછળ પગલું ભર્યું છે.

સામાજિક ઉન્નતિ એટલે શું ? સમગ્ર ગ્રામજનતાની સર્વ બાજુએ ઉન્નતિ થાય એને સામાજિક ઉન્નતિ કહીએ.

પરંતુ સર્વ બાજુ એટલે ?

વ્યક્તિ અને સમાજ

ગામડાં ગ્રામસમાજનાં બનેલાં છે. ગ્રામસમાજ એટલે ગામડાંમાં વસતો માનવસમૂહ. સમૂહ અનેક વ્યક્તિઓનો બનેલો હોય. એટલે વ્યક્તિ-એકલ