પૃષ્ઠ:Gramonnati.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬ : ગ્રા મો ન્ન તિ
 


ચલાવી લેવાની ટેવ

માર્ગ છે. ગામડામાં માખી છે ? મચ્છર છે ? એ પ્રશ્નોના ઉત્તર નકારમાં આવે તો જાણવું કે ગામડું ખરેખર ઉન્નતિને શિખરે સ્થિત થયું છે. માખી મચ્છરને ચલાવી લેવાનું નિર્માલ્ય માનસ જ્યાં સુધી ગ્રામજનતા ધરાવશે ત્યાં સુધી તે એક ડગલું પણ આગળ વધી શકશે નહિ. ગામડામાં માખી તો હોય ! ગામડાંમાં મચ્છર ન હોય એ કેમ બને ! અમુક ગંદકી તો આપણે ચલાવી જ લેવી જોઈએ ! આવું આપણું માનસ થઈ પડેલું છે. ચલાવી લેવાની પાછળ જો ખરેખર સેવાભાવ રહેલો હોય તો તે ઈચ્છવા જોગ છે, અને સેવા અર્થે નીકળેલા કંઈક સેવાભાવીઓએ ગામડાંની મુશ્કેલીઓ પોતાની જાત પૂરતી ચલાવી લેવી પડશે. પરંતુ એનો અર્થ એમ નથી કે ગ્રામસેવકોએ જે ચલાવી લેવું જોઈએ તે ગ્રામજનતાને પણ ચલાવી લેવા દેવું જોઇએ. એટલે ગામડામાંથી માખી અને મચ્છર સમૂળ અદૃશ્ય થાય એમ કરવાની સહુની ફરજ થઈ પડે છે. ચોખ્ખાઈ વિષે આગ્રહ રાખવાની ટેવ આપણે યુરોપિયન પાસેથી ખરેખર શીખવી જોઈએ. યુરોપિયનો સહરાના રણમાં, હિમાલયના બરફમાં અને બ્રાઝિલનાં જંગલમાં પણ જાય છે, અને આપણે કલ્પી ન શકીએ એવાં દેહકષ્ટ સહન પણ કરે છે. છતાં મુસાફરીના મુખ્ય ધ્યેયની સાથે બીજુ એક ધ્યેય તો એ સદા યે રાખે છે કે જેથી તેઓ રહેવામાં અને જમવાખાવામાં તેમણે નક્કી કરેલી સ્વચ્છતાની કક્ષા તો મેળવી જ લે છે. આપણે પણ ઈચ્છીએ તો ગામડાંને માખી અને મચ્છર વગરનાં બનાવી શકીએ.

માખી અને મચ્છર
રહિત ગ્રામનિવાસ

ઘરની ગંદકી, ગામની ગંદકી અને સાથે સાથે ગામની હદમાં આવેલી સીમની ગંદકી દૂર કરીએ તો વર્ષે બે વર્ષે નિદાન દસવર્ષે તો આપણી ગ્રામજનતા માખી અને મચ્છર વગરની