પૃષ્ઠ:Ishu Khrist.djvu/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૫

બીજાં પ્રવચનો

૧૧. અવિવેકી પરોણા

એક માણસે થોડું જમણ આપ્યું, અને તેમાં ઘણા માણસોને નોતર્યા. પછી કેટલાક માણસો ત્યાં જઈ વગર કહ્યે સારી સારી જગ્યાએ જઈને બેસી ગયા. અને કેટલાક ડાહ્યા હતા, તે નીચેની જગ્યાએ બેઠા. પછી ઘરનો માલિક જ્યારે બધાને મળવા નીકળ્યો, ત્યારે તેને કેટલાક સારી જગ્યાએ બેઠેલા માણસોને ત્યાં પ્રતિષ્ઠિત માણસોને બેસાડવા માટે ઉઠાડવા પડ્યા, અને તેમને નીચેની જગ્યાઓમાં મોકલવા પડ્યા. પણ કેટલાક નીચેની જગ્યાઓમાં બેઠેલાને આગ્રહ કરી તે ઊંચી જગ્યાએ લઈ ગયો. પછી જેમને નીચેની જગ્યાએ ખસવું પડ્યું તેમનાં મન ભોઠાં પડી જાય, અને જેઓને આગ્રહપૂર્વક માનની જગ્યાએ લઈ ગયા તે પ્રફુલ્લ થાય, તેમાં શું આશ્ચર્ય?

આમ જે નમ્ર થાય છે તે જ ચડે છે.