પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૧૯ )

કડી ૩, ચરણ ૩. ત્‍હેણે -પૂર્વાર્ધમાં કહેલી વાદળી ને ચાંદનીની સ્થિતિયે.

મતલબ કે આ સુન્દર રચનાથી ત્‍હારા કંઠમાંથી મીઠું ગાન સહજ નીકળી આવે છે. આનન્દમય વૃત્તિને લીધે.

ચરણ ૪, આ શાન્તિ અધિક વધારતું. - જેમ ગાઢ અન્ધકારમાં પ્રકાશ જરાક ચમકી જતો રહેવાથી અન્ધકાર સવિશેષ પ્રબળ લાગે છે, તેમ સંપૂર્ણ શાન્તિમાં ક્ષણવાર ટહુકો આવીને શાન્તિનું જોર વધારે (પડછાએ કરીને) દેખાડી આપે છે.

કડી ૪, ચરણ ૩. રખેને અહિં પ્રસરેલી શાન્તિ બધી જતી ર્‍હે (પળે-ન્હાસે) એમ ધારીને (જ જાણે) પવન મન્દ પગલાં ભરે છે, ધીમે ધીમે ચાલે છે.

કડી ૫, ચરણ ૩. સીંચે - નો કર્તા 'ગાન,' કર્મ 'મોહની.'

આ કાવ્યમાં સૃષ્ટિદર્શનને જ ઉપાદાનરૂપે લઇને પૃ. ૧૪મે 'દિવ્ય ટહુકો' છે તે રચાયું છે. આ કાવ્યમાં માત્ર તે દર્શનથી થતો ઉલ્લાસ છે; ત્ય્હારે પેલામાં તે ઉપરથી ઊપજાવેલું તત્ત્વચિન્તન છે.

રાત્રિયે કૉયલ.—પૃષ્ઠ ૬૭.

કડી ૩, ચરણ ૨. લાવ્યો-નો કર્તા'રવ,' કર્મ 'અમીરસ.'

કડી ૪. ચન્દ્રમાં માનનદી વ્હેતી,-એમ ચન્દ્રનું લાવણ્ય અને ગાનનું માધુર્ય એ બંને સુંદરતાદ્વારાએ સજાતીય જ ગણીને કલ્પનાબળે માનેલું છે.

આ કાવ્ય પણ તરત પાછળ ગયેલા 'મધ્યરાત્રિએ કૉયલ' એ કાવ્યમાંના બનાવ ઉપરથી જ રચાયલું છે.


વસન્તમાં એક સ્હવારનો સમય.—પૃષ્ઠ ૬૮.

પ્રાચીનતમ સમયમાં -વેદકાળમાં - ઉષા. મરુત્, પર્જન્ય,