આ ન્હાના કાવ્યમાં, - મનુષ્યભિન્ન ઇતર સૃષ્ટિ, મનુષ્યની પ્રશંસા કે નિન્દાથી નિરપેક્ષ. પોતાની રુચિને અનુસરી જ, સર્વ વ્યવહાર કરે છે, - તે ભાવ છે.
કડી ૨, ચરણ ૨. એહશું - એ (વનવેલી) સાથે.
પ્રત્યેક કડીના ચૉથા ચરણમાં - ત્હમને = મનુષ્યને.
રાત્રિ.—પૃષ્ઠ ૪૫.
આ કાવ્યમાં પણ ઉપર ગયેલા કાવ્યની પેઠે જ પ્રકૃતિનાં સ્વરૂપોનો મનુષ્યોની રુચિનેરપેક્ષ વ્યવહાર દર્શાવો છે; પરંતુ એટલો વિશેષ સહૃદય થઇ મનુષ્ય પ્રકૃતિનાં તે તે સ્વરૂપના સત્ત્વ જોડે યોગ તો ત્હેને આનન્દ મોહ ઇત્યાદિ ઉપજાવે છે તેટલે અંશે મનુષ્યના ચિત્તને મોહ પમાડવા - "કવિજન-ચિત ચોરવા" (કડી ૧૦, ઉત્તરાર્ધ) પ્રકૃતિ વ્યવહાર કરે છે.
પ્રકૃતિના સત્વ સાથે સહૃદયતાથી યોગ રાખનાર તે જ 'કવિજન.'
કડી ૫. 'હોડે'-નું કર્મ 'શાલ.'
કડી ૭. સૂર્ય અને ઉષાનો સંયોગ થાય છે એટલે (પ્રભાત મટી સૂર્યોદય થતાં) રાત્રિ જતી રહે છે, એ ઉઘાડું જ છે.
કડી ૯-૧૦માં રાત્રિયે આપેલો (કલ્પિત જ) ઉત્તર છે.
સૂર્યોદય.—પૃષ્ઠ ૪૫.
કડી ૧, ચરણ ૨. આંસુડાં ઢાળતી - ઝાકળ પડતાં તે
ચરણ ૩. પ્રિયા -કુમુદિની.
ચરણ ૪. અસ્ત પામતે જાણે ધીમો જતો જણાય છે.
કડી ૨, ચરણ ૧. બિમ્બ - સૂર્યનું.
ચરણ ૨. ઉદયશિખર - (સપ્તમી); મસ્તકમણિશું -૦જેવું.
ચરણ ૩-૪. કેસર તે જ હાસ, અને ગુંજાર તે ગાન.