પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
માહાત્માજીની વાતો.

જોયાં, અને હું જોઇ શક્યો કે તેના અંતઃકરણમાં ઈશ્વરનો વાસ છે. અને “મનુષ્યો શાથી જીવી શકે છે” તે પણ જાણ્યું. પરમાત્માએ ત્રીજા શબ્દનો ભાવાર્થ પણ આમ મને સમજાવ્યો, અને અને માફી મળી ગઈ જેથી છેવટે હું ત્રીજીવાર હસ્યો.


પ્રકરણ ૧૨ મું.


દેવદુતે આટલી વાત કર્યા પછી તેના શરીર ઉપરથી બધાં કપડાં નીચે પડી ગયાં, અને તેના શરીરમાંથી એટલો બધો પ્રકાશ પડતો હતા કે તેની સામું જોઇ શકાતું નહોતું. જ્યારે દેવદૂત બોલતો ત્યારે તેનો અવાજ જાણે ઊંચે સ્વર્ગમાંથી આવતો હોય એમ જણાયું. હવે દેવદુત પાછો બોલવા લાગ્યો કે “હવે હું શીખ્યો છું કે: દરેક મનુષ્ય પોતાની જ સંભાળથી જીવી શકતો નથી, પરંતુ એક બીજા સાથેની પ્યારની લાગણીથી જીવે છે ! પોતાનાં વહાલાં બચ્ચાંઓની જીંદગી વાસ્તે શાની શાની જરૂર પડશે તે તેમની માતાને પણ જાણવાની શક્તિ આપેલી નથી. પૈસાદાર ગૃહસ્થને પણ ખબર નથી કે પોતાની જીંદગી વાસ્તે તેને શું શું જોઈએ છે ! કોઇ પણ મનુષ્યને એ જાણવાની શક્તિ આપી નથી કે પોતાની જીંદગી વાસ્તે તેને શું શું જોઈએ છે ! કોઇ પણ મનુષ્યને એ જાણવાની શક્તિ આપી નથી કે પોતાના જીવીત દેહને માટે તેને કપડાં ખરીદવાની જરૂર છે કે સાંજના પોતાના મૃતક દેહને ઓઢાડવા રેશમનાં કપડાંની જરૂર પડશે. જ્યારે હું મનુષ્ય તરીકે દેવળની પાસે નગ્નાવસ્થામાં પડ્યો હતો, ત્યારે હું મારી પોતાની સંભાળથી કંઈ જીવી શક્યો નહોત. પરંતુ આપ તથા આપની સ્ત્રીએ મારા ઉપર અત્યંત સ્નેહ બતાવ્યો અને આપના અંતઃકરણમાં પ્યાર અને દયાની લાગણી હતી, તેથી જ આપે મારી સારવાર કરી મને સુખી કર્યો. પેલાં જોડે જન્મેલાં માબાપ વિનાના બાળકો શા માટે જીવી શક્યાં ? કારણ કે એક