પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯
મુરખરાજ અને તેના બે ભાઈઓની વાત.


આમ મસલત કરી અને બન્ને જણા મુરખા પાસે ગયા. સમશેરે વધારે સીપાઇની માંગણી કરી. મુરખો માથું ધુણાવી બોલ્યો “હું હવે બીજા સીપાઇ નહીં બનાવું.”

સમશેર બોલ્યો: “પણ તેં તો મને વચન આપ્યું હતું.”

મુરખે જવાબ આપ્યો: “હા એ ખરૂ, પણ હું હવે વધારે બનાવવાનો નથી.”

સમશેર બોલી ઉઠ્યો: “શું કામ હવે નહીં બનાવે !” મુરખે જવાબ વાળ્યો, તારા સીપાઈઓએ એક માણસને મારી નાખ્યો તેથી એક દહાડો હું હળ ખેડતો હતો તેટલામાં મેં રસ્તેથી જતી એક ઠાઠડી જોઇ, પુછપરછ કરતાં માલુમ પડ્યું કે તારા સીપાઇઓએ એક બાઇના ધણીને લડાઇમાં મારી નાંખ્યો હતો. હું તો ત્યાં લગી એમ સમજતો હતો કે સીપાઇઓનું કામ ગાવા બજાવવાનું હતું. પરંતુ તેઓ તો માણસ મારા દેખાય છે. એટલે હવે હું એકે સીપાઈ બનાવવાનો નથી.”

ધનવંતરીને પણ મુરખાએ સોનું બનાવી આપવાના ચોખ્ખી ના પાડી અને કારણ બતાવ્યું કે ધનવંતરીના સોનાથી એક પાડોશીને પોતાની ગાય ખોવી પડી હતી.

ધનવંતરીએ તેનું કારણુ પૂછ્યું મુરખે કહ્યું: મારા એક પાડોશીને ઘેર એક ગાય હતી. તેનું દુધ દહીં તેનાં છોકરાને સુખેથી મળતું હતુ. એક દહાડો તે છોકરાઓ મારી પાસે દુધ માગવા આવ્યાં. તેઓને પુછતાં મને માલુમ પડ્યું તારો ખજાનચી છોકરાઓની માટે સોનાની ત્રણ લગડીઓ આપીને ગાય લઇ ગયેલા તેથી છોકરાઓ દુધ વીનાના થઈ રહેલાં હતા. મેં તો એમ ધાર્યું હતું કે સોનાના લખોટા બનાવી તું રમશે. પણ પરીણામ તો વિપરીત આવ્યું. બીચારાં બાળક છોકરાઓ ગાય વીનાના થઈ દુધની તંગીમાં આવી પડ્યાં, એટલે હવે મારી પાસેથી સોનું મેળવવા આશા ફોકટ સમજવી.”

નીરાશ થઈ બને ભાઈ પાછા ફર્યા અને પોતાની મુશીબતનો વિચાર કરવા લાગ્યા. સમશેરે ધનવંતરીને કહ્યું: “મારા સીપાઇને