પૃષ્ઠ:Meghsandesh.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


મેધસન્દેશ

[મ.ગાંધીજીને વાદળાં મારફત સન્દેશો]

ઉત્તરનમેઘ

મંદાક્રાન્તાવૃત્ત.

મુંબાપુરી સમ ન દીસતી શેાભીતી ને સમૃદ્ધ,
તો યે તેની જગતભરમાં આબરૂ છે અનેરી;
તેમાં પાક્યા તિલક સરખાં ઊજળાં રત્ન ઝાઝાં,
આપ્યા ભેગા અતિઉલટથી જેમણે દેશ માટે.


સ્પર્ધા જેઓ શિર અરપવા દેશ માટે કરે છે,
પાછું જેઓ પગલું ન ભરે યુદ્ધભૂમિ થકી ને;
કીર્તિ જેની કવિજનવડે છે ગવાઈ સદાયે,
એવા પુના નગરની મહીં શૂરવીરો થયા છે.