આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મેધસન્દેશ
[મ.ગાંધીજીને વાદળાં મારફત સન્દેશો]
ઉત્તરનમેઘ
મંદાક્રાન્તાવૃત્ત.
૧
મુંબાપુરી સમ ન દીસતી શેાભીતી ને સમૃદ્ધ,
તો યે તેની જગતભરમાં આબરૂ છે અનેરી;
તેમાં પાક્યા તિલક સરખાં ઊજળાં રત્ન ઝાઝાં,
આપ્યા ભેગા અતિઉલટથી જેમણે દેશ માટે.
૨
સ્પર્ધા જેઓ શિર અરપવા દેશ માટે કરે છે,
પાછું જેઓ પગલું ન ભરે યુદ્ધભૂમિ થકી ને;
કીર્તિ જેની કવિજનવડે છે ગવાઈ સદાયે,
એવા પુના નગરની મહીં શૂરવીરો થયા છે.