તોળી કહે,
સ્વાંતી નક્ષત્રે મેહુલા વરસિયા
એની નીપજે લેજો ગોતી
મારા વીરા રે
વશિયલને અંગે વખડાં નીપજે
છીપ-મુખ નીપજે સાચાં મોતી
મારા વીરા રે !
તોળી કહે,
સાધુને ઘેર સતગુરુ પ્રોણલા
એની શી શી વગત્યું કીજે ?
અંગના ઓશીકાં, દલનાં બેસણાં
પગ ધોઈ પાહોળ લીજે
મારા વીરા રે !
તોળી કહે,
મનના માનેલા મુનિવર જો મળે
દલડાની ગુંજ્યું કીજે;
જાડેજાને ઘરે તોરલ બોલિયાં,
લા'વ તો સવાયો લીજે
મારા વીરા રે !
[અર્થ : મારું મન શૂરવીર સાધુઓ પર મોહ્યું છે જેના રદિયામાં પ્રભુ વસ્યા હોય તેવા સાધુ ઉપર.
ઓ મારા વીરાઓ ! આવો, ભાવથી સૌ મળો, સાચાં દિલની ઓળખાણ કરો.
સત્યની શોધમાં તમે નકામા ઉજાગરા – ઊંડા તત્ત્વાન્વેષણના – શા માટે કરો છો ઓ ભાઈઓ? નયનથી નીરખી તો જુઓ ! નેત્રોમાં જ્ઞાનનું આંજણ આંજેલું છે તોય કાં માર્ગ ભૂલો? દીવો હાથમાં છે છતાં કાં અજ્ઞાનના કૂવામાં ડૂબો ?