આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
એક દિવસે શાહે બીરબલને પુછ્યું કે. 'સ્વરગ અને નરકને કયા લોકો પ્રાપ્ત કરે છે? તેની ખાત્રી કરી આપો !' બીરબલે તુરતાતુરત કહ્યું કે, 'જે માણસના મુવા પછી તેને લોકો વાહ ! વાહ કહે તો તે સ્વરગમાં ગયો અને જો મુવા પાછળ નીંદા કરી ખરાબ હતો એમ કહી વગોવે તો તે નરકે ગયો એમ સમજવું.' બીરબલની આ વાત કબુલ રાખી શાહ ખુશી થયો.
સાર-અચળ કીરતી એજ સ્વરગ છે. અને અપકીરતી એજ નરક છે. માટે દરેક માણસે કીરતી સંપાદન કરવી.