બીરબલ અને બાદશાહ/વિસામો કોને નથી ?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← અમારા બેમાંથી કોણ મ્હોટું ? બીરબલ અને બાદશાહ
વિસામો કોને નથી ?
પી. પી. કુન્તનપુરી
સ્વર્ગ અને નરક કોણ પ્રાપ્ત કરે છે ? →


વારતા ત્રેતાલીસમી
-૦:૦-
વિસામો કોને નથી ?
-૦:૦-


એક સમે શાહે બીરબલને પુછ્યું કે, 'જેને કોઈ કાળે પણ વીસામો લેવાનો વખત આવતોજ નથી એવી કોઈ વસ્તુ છે ?' બીરબલે કહ્યું કે, 'હજુર ! સાહુકારનું વ્યાજ ! કે જેને ઘડીકની પણ ફુરસદ ન મળતાં રાત ને દિવસ આગળ વધ્યાજ કરે છે.' આ સાંભળી શાહ ઘણો ખુશી થયો,

સાર--માથે આવેલા દુ:ખને તાબે થવું, પણ મારવાડીનું ચાલુ વ્યાજ ભરવાને મારવાડીને ત્યાંથી વ્યાજે નાણાં લેવાં નહીં.

-૦-