બીરબલ વિનોદ/બીરબલ પારસ છે

વિકિસ્રોતમાંથી
← બાદશાહ બન્યો બીરબલ વિનોદ
બીરબલ પારસ છે
બદ્રનિઝામી–રાહતી
જેવું કર્મ તેવું ફળ →


વાર્તા ૭૨.

બીરબલ પારસ છે.

એક પ્રસંગે ઈરાનનો શાહઝાદો અકબરને મળવા આવ્યો હતો, ત્યારે તેણે બાદશાહને પૂછ્યું “શું આપની પાસે પારસમણિ છે?” બાદશાહે તરતજ બીરબલનો હાથ પકડી કહ્યું “ આ રહ્યું પારસમણિ ! ! ” અને તત્કાળ આ દુહો કહ્યો:—

ઉદ્યમસે લક્ષ્મી મિલે, મિલે દ્રવ્યસે માનઃ
દુર્લભ પારસ જગત્‌મેં, મિલનો મીત સુજાન.

અર્થાત્ ઉદ્યમથી લક્ષ્મી મળે, દ્રવ્ય માન અપાવે; પરંતુ આ જગત્‌માં દુર્લભ પારસ તો સુજાણ મિત્રનેજ કહી શકાય.

ઈરાની શાહઝાદો એ જવાબ સાંભળી બોલ્યો “ ખચિત્ આપે સત્ય કહ્યું.”