રસિકવલ્લભ/પદ-૧૦

વિકિસ્રોતમાંથી
← પદ-૯ રસિકવલ્લભ
પદ-૧૦
દયારામ
પદ-૧૧ →


પદ ૯ મું.

સોરઠ સોમેશ્વર સુર સેવા જી, નાગેશ્વર ધુષ્મેશ્વર દેવા જી;
અરબુદાચળ અતિજ પ્રલંબા જી, આરાસુરમાં દેવી અંબાજી. [૧]

સિદ્ધપુરે હું વળતો ધાયોજી, સરસ્વતીપ્રાચી જલપૂત ન્હાયોજી;
બિન્દુસરોવર મજ્જન કીધુંજી, ગોવિંદ માધવ દર્શન લીધુંજી.

ઢાળ

લીધું પરમ સુખ ડાકોર, ગોમતિ સ્નાન પૂરણ કોડ,
સાક્ષાત્ શ્રીદ્વારકાપતિ નિરખિયા શ્રીરણછોડ.
મહિસાગર નહાઈ, પાવાગઢ કાલિકા દેવી સેવ.
પછી મેવાડે જઈ પૂજિયા, શ્રીએકલિંગજી મહાદેવ.
પછી શ્રીજીદ્વારે હું ગયો, જે પરમ પાવન ધામ;
મેં નિરખિયા શ્રીનાથજી, પરબ્રહ્મ પૂરણ કામ.
સહુ તીર્થગુરુપુષ્કર તીરથ, ત્યાં સ્નાન કરી હરિ દર્શ;
ચર્મન્વતી વેદિકા સુર નદી, નહાઈ પામ્યો હર્ષ.
પછી વ્રજમંડળ ફરી આવિયો, એ મુખ્ય નામોચ્ચાર;
જો વિધિવત્ વર્ણન કરૂં, તો ગ્રંથ થાય વિસ્તાર.
એમ કહી પુનિત તીર્થાવળી, શ્રદ્ધા સુણે વા ગાય;
તો દયાપ્રીતમ કૃષ્ણ રીઝે સહુ તીરથ ફળ થાય.



  1. ૧ સોમેશ્વર–સોરઠી સોમનાથ સુર ઈ૦—એ દેવની સેવાકરી નાગેશ્વર— ધુષ્મેશ્વર-એ સોરઠમઠ મહાદેવના તીર્થ છે. અરબુદાચળા-આરાસુરની પાસે પહાડ છે (પાહાડ)