રસિકવલ્લભ/પદ-૨

વિકિસ્રોતમાંથી
← પદ-૧ રસિકવલ્લભ
પદ-૨
દયારામ
પદ-૩ →


પદ ૧ લું.

વિષે પૂછ્યું. શ્રીગુરૂ પ્રત્ય , યમ ભમતી રહે મારી અન્ય 3
કૃપા કરી તે મુજને કહિયે , રાણાગત ' નિન્દના લહિયે છ.[૧]
મેં અવલોકયા છે બહુ ગ્રંથ છે, તેથી ન ચાઅે મન એક ૫૫ ૭;
હુ છોલો દાય ન ધરશેો છ પૂછી સાયેલુ ધ ન કરો છુ. [૨]

ઢાળ.

મન ક્રોધ ઉપજે એવું અવળું પૂછવું પડશે ખરૂં;
તે વિના ભ્રમ ભાગે નહીં, માટે પ્રથમ વિનતિ કરૂં.
મેં સંગ કર્મઠ બહુ કર્યા, સંન્યાસી યોગી અત્ય;
તેથી તમારા વચનમાં, સંશય રહે કહું સત્ય.[૩]
આપે કથા અદ્‌ભૂત કહી, મેં શ્રવણ કીધી સાર;
તે તદ્યપિ ઉરમાં નવ ઠરી, ત્યાં સંશય સભર વિકાર.[૪]
જ્યાં લગી સંશય ત્યાં લગી, પ્રભુ સફળ થાય ન ધર્મ;
તે માટે નિઃસંદેહ થાવું શ્રીગીતા ભાખ્યો મર્મ. [૫]
ઉપદેશ માત્રજ આપથી, પામ્યો પૂર્વ ગુરૂરાય;
સમજ્યો ન સ્વસિદ્ધાંત પૂરૂં જે ન કહ્યું ચિત્ત જાય. [૬]
દયાપ્રીતમ દાસ ના સંગ, (જે) સિદ્ધાંત સમજું સત્ય,
એવી દશામાં તીર્થ કરવા ગયો * કાચી મત્ય. [૭] [૮]



  1. ૧. પ્રત્ય —પ્રત્યે. રહે—અટકે, મત્ય —મતિ. શર્ણાગત-(શરણુ+આગત) શરણે આવેલો. નિજનો —પોતાનો.
  2. ૨. અવલોક્યા–જોયા, વચળેલો ઇ૦—હું વચળેલો–ધર્મ માર્ગમાંથી ખશી ગયેલો છું માટે મારા ઉપર દોષ ન ધરશો – ન આરોપશો. પૂછી ઈ૦–મેં જે જે સાધેલુ છે તે તે કોઈને પૂછી પૂછીને સાધેલું છે. માટે મારા ઉપર ક્રોધ ન કરશો.
  3. ૪. કર્મઠ–કર્મવાદી–યજ્ઞયાગાદિકમાંજ પરમાર્થ માનનાર. અત્ય-અતિ.
  4. પ. સંશય ઈ૦–કેમકે ત્યા સંશય રૂપી વિકાર સભર ભરેલા છે.
  5. ૬. શ્રીગીતા ભાખ્યો મર્મ– अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति ।
    नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः ॥४-४०॥
    (ભ૦ ગી૦ અ૦ ૪),
  6. ૭. પૂર્વ–પૂર્વે સ્વસિદ્ધાંત–વલ્લભી સંપ્રદાયનો સિદ્ધાંત. જે ઈ૦– જે ન કહ્યું ત્યા મારૂ ચિત્ત જાય કેમકે હું સિદ્ધાંત સમજ્યો નહોતો.
  7. ૮ દયાપ્રીતમ ઈ૦— દયારામના પ્રીતમ (કૃષ્ણ)ના દાસનો પણ મને સંગ નહોતો કે જેથી સત્ય સિદ્ધાંત હું સમજી શકું. એવી દશાના કાચી મતિનો હું તીર્થ કરવા ગયો.
  8. * આ પદના છેલ્લા ચરણથી તેમ હવે પછી જે પદ આવશે તેના સંદર્ભ પરથી અનુમાન થાય છે કે દયારામે આ ગંથ પોતાના વીતક તરીકે લખ્યો છે અને તેમા શિષ્યને સ્થાને દયારામ પાતે આરોપિત થયા છે.