રસિકવલ્લભ/પદ-૨૪
← પદ-૨૩ | રસિકવલ્લભ પદ-૨૪ દયારામ |
પદ-૨૫ → |
<poem>
અન્યાશ્રય નિંદા
અન્યાશ્રયનું ફળ છે એહવુંજી, નંદાદિકને દીઠું જેહવુંજી; હરિને હિત ના આવે ત્યાંયજી, જેનું ચિત્ત હોય બહુ સુરમાંયજી. ૧ પ્રાધૂર્ણિક બહુ ઘરનો હોયજી, મરે ક્ષુધાએ ન પૂછે કોયજી; પુત્ર પુંશ્ચલી પિતતું કહે કહોનેજી, લાડ ઓલંભા કોઈ ન માનેજી. ૨
ઢાળ ખરો સંત કોણ ?
માને ન મન માધવ વિના, કહ્યું તેજ સાચો સંત; નિજ પ્રાણ અધિકો લહે તેને ભક્તાધીન ભગવંત. ૩
અન્યાશ્રય વિષે શિષ્યની શંકા
એમ સુણી બોલ્યો શિષ્ય, પ્રભુ સંશય રહે છે એક; આપે કહ્યું તે ખરૂં, ભજવા એક હરિ ધરિ ટેક. ૪
શ્રુતિ સ્મૃતિ દૃઢ થયું સંશય ન નિશ્ચે એવ; છે એમ, તદપિ ઘણા જન ક્યમ ભજે ઇતર દેવ. ૫
કેટલાક સુર દૃઢ એક, કેટલા નામે સઘળે શીશ; તે ક્યમ હશે ગુરુજી કહો ઝળકે પ્રબળ જશ જગદીશ. ૬
ગુરુએ આપેલો ઉત્તર
એમ સુણી શ્રી ગુરુએ કહ્યું સાંભળ કહૂં કારણ, તાત! જે અંશ જેહના હોય તે, તેને ભજે શ્રુતિ ખ્યાત. ૭
જે જેહનું તેહને તે મળે, તવ થાય ચિત્તનિરોધ; જ્યમ દયાપ્રીતમ કૃષ્ણ સેવે ભગવદી વણ બોધ. ૮
(પૂર્ણ)