રસિકવલ્લભ/પદ-૨૯
← પદ-૨૮ | રસિકવલ્લભ પદ-૨૯ દયારામ |
પદ-૩૦ → |
કારણ અને કાર્યનો સમ્બન્ધ તથા કારણની ત્રિપ્રકારતા
લહેરી, કુંડળ ને વળી કલશજી, જળ, કંચન, ભોમીથી દરશજી; સમીર, સોની, કુલાલ, પાખેથી, ભેદ ન ઉપજે નિરખ્યો આંખેજી. ૧
વણ ત્રય હેતુ કારજ ન હોયજી, શ્રુતિ સ્મૃતિ બોલે સહુ કોયજી; ઉપાદાન ઘટ મૃતિકા લહિયેજી, નિમિત્ત કારણ કુલાલ કહિયેજી. ૨
ઢાળ
કહિયે વળી સમવાયિ કારણ, વિવર ચક્ર ને દંડ; એ ત્રણ કારણ થકી, સમજી લે રચ્યું બ્રહ્માંડ. ૩
જો નિર્ગુણ નિરાકાર વણ, બિજું ન હોય જ કોય; તો તૂંજ ક્હે, આ સૃષ્ટિ જ શી રીતે અભેદ હોય ?' ૪
શિષ્યે રજુ કરેલો પ્રતિબિંબવાદ
સુણી શિષ્ય બોલ્યો 'સાંભળો, મહારાજ ક્હો છો જ્યમ; હું કદાપિ હા કહું પણ, એમ વાદી મને કયમ ? ૫
તે એમ ક્હે છે સાંભળો, કોઈ કાચમંદિર માંહે; જન ગયો એક અનેક રૂપે, થયો પોતે ત્યાંહે. ૬
નિજ છાયા દર્પણે દેખી, માને અવર ઠામેઠામ; ભૂલો પડે પ્રતિબિંબ નીરખી, આપણું જ અભિરામ. ૭
ત્યાં દષ્ટાદષ્ય નથી અવર, સુષ્ટા ન સુષ્ટિ કોય; દયાપ્રીતમ બ્રહ્મ તે એક, વાદી ક્હે સહુ હોય. ૮ -૦-