રસિકવલ્લભ/પદ-૭

વિકિસ્રોતમાંથી
← પદ-૬ રસિકવલ્લભ
પદ-૭
દયારામ
પદ-૮ →


પદ ૬ ઠ્ઠું.

પછી ગયો આદ્ય કૂર્મ ક્ષેત્રજી, મજ્જન દર્શે શુચિ તનુ નેત્રજી;
વળતી નિરખ્યા ગિરિપદ્મનાભજી, સોહાદ્રિનરહરિ લખી લાભજી; ૧ [૧]
મંગળગિરિ શ્રીપણાનૃસિંહજી, પિયે પ્રત્યક્ષે પણો શ્રીરંગજી;
ગોદાવરી વેણા સરિ સ્નાનજી, રૂપ હ્રદે મુખ હરિગુણગાનજી. ૨[૨]

ઢાળ.

ગુણગાન ગોવિંદ યજ્ઞ પદ પદ પાપ રહે નહિ લેશ;
આગળ શેષાચલ શિખર નિરખ્યા રાજ શ્રીવ્યંકટેશ. ૩ [૩]
પછી તળેટીમાં ત્રિપતિપુરિ શ્રીરાકચંદ્રજિ ભ્રાજે;
પછી કાંચી શિવ વિષ્ણુપુરી શ્રીવરદરાજ વિરાજે. ૪ [૪]
શુચિ પક્ષીતીર્થ, કામકોષ્ટી કુંભકરણ સુક્ષેત્ર;
નદી કાવેરિ શ્રીરંગસ્વામી નિરખિ સફલિત નેત્ર. ૫ [૫]

પછી દક્ષિણ મથુરા દ્વારિકા નિરખ્યા રાજગોપાલ;
શ્રીરામ પોઢ્યા નિરખિ નવગ્રહ પૂજિયા લઘુ કાલ. ૬ [૬]
શ્રી સેતુબંધજી રામેશ્વર પુજિયા અધદુઃખભંગ;
પછી ધનુષતીર્થે સ્નાન કીધાં, ઉભય સાગર સંગ.૭ [૭]
તુંગભદ્રા કૃતમાલા પયસ્વિની તામ્રપર્ણી નીર;
હોય સ્નાન પાને દયાપ્રીતમ કૃષ્ણભક્તિ ધીર. ૮ [૮]



    એની વાત જાણવા જેવી છે. ત્યાં દરરોજ મધ્યાન્હે સમળી જેવડા સફેદ તથા કાળા છાટાવાળા બે પક્ષી આવે છે. તેમનો સેવક એક બાવો તેમને ભોજન કરાવે છે. ઘડીકવાર ત્યાં રહીને તે ઉડી જાય ને પાછા બીજે દિવસે મુકરર કરેલે વખતે આવે છે, તેમનાં લોકો દર્શન કરે છે. લોકો કહે છે કે એ બે શાષિતઋષિ છે, તે કલ્કી અવતાર થશે ત્યારે મુક્ત થશે. કામકોષ્ટી–દક્ષિણમાં એક તીર્થ છે. કુંભકક્ષેત્ર–કુંભકોણ નામે ગામમાં આ ક્ષેત્ર છે. ત્યાં કુંભેશ્વર મહાદેવ અને બીજા અનેક મંદિર છે. કન્યાકુમારીથી તૃણાવલી થઈને ત્યાં જવાય છે. કાવેરી—શ્રીરંગપટ્ટણ શેહેર આગળ છે. શ્રીરંગસ્વામી નામે ત્યાં દેવ છે.

  1. ૧ આદ્ય કુર્મક્ષેત્ર–દક્ષિણમાં એક તીર્થ. મજ્જન ઈ○– ત્યાં સ્નાન કરવા વડે શરીર અને દર્શન કરવાવડે નેત્ર પવિત્ર થયાં છે. પદ્મનાભગિરિ–દક્ષિણમાં અનંતશયન પદ્મનાભ નામે નગરમાં એ તીર્થ છે. દ્વાવિડભાષામાં એ શહેરને તિખન દપુર કહે છે. સહ્યદ્રિનરહરિ–સહ્યાદ્રિપર્વત ઉપર એક દેવ છે. લખી–જાણીને લાભ જાણીને.
  2. ૨ મંગળગિરિ–દક્ષિણમાં એક પર્વત છે. પણનૃસિંહ–મંગળગિરિ ઉપર એક દેવ છે. વેણાસરી–વેણા નામની નદી. કૃષ્ણગંગાનદીની પાસે છે રૂપ ઈ○– હૃદયમાં હરિનું રૂપ મુખમાં હરિના ગુણનું ગાન રાખીને વેણા નદીમાં સ્નાન કર્યું. એ અન્વય.
  3. ૩ યજ્ઞપદ–યજ્ઞના સ્થાન રૂપ–ગોવિંદ ગોવિંદના ગુણગાનથી લેશ પાપ રહે નહિ. શેષાચળ–દક્ષિણમાં એક પર્વત છે. રાજે છે – શોભે છે.
  4. ૪ ત્રિપતિપુરી – દક્ષિણમાં એક ગામ છે. તેની પાસે પર્વત ઉપર બાલાજીનું મોટું ધામ છે ભ્રાજે–શોભે, કાંચિશિવ–ત્રિપુરાપુરીથી આશરે ૪૦ કોસપર મહાદેવનું સ્થાન છે. વિષ્ણુપુરી–વિષ્ણુકાંગી–શિવકાંચીથી દોઢ ગાઉ છે. વદૈરાજ–વિષ્ણુકાંચીમા વિષ્ણુની મૂર્તિ છે.
  5. ૫ પક્ષીતીર્થં–ચગલપટ સ્ટેશનથી પ ગાઉ પર પર્વત ઉપર એ તીર્થ છે.
  6. ૬. દક્ષિણભથુરા–હાલ મધુરા શેહેર છે તે. દક્ષિણદ્વારકા–પંઢરપુર. ત્યાં
    રુકિમણી, સત્યભામા, લક્ષ્મીજી, જાંબવતી. વગેરેના મંદિર છે. બળદેવજી, ગરૂડજી, નારદજી, વગેરેની મુર્ત્તિઓ છે. રાજગોપાળ—રામેશ્વરની યાત્રામાં એ ધામ આવે છે. રામ પોઢ્યા તે સ્થળ–ત્રિવાંદ્રમ આગળ એક તીર્થ છે. નવ ગ્રહનું સ્થાન–હરબોલાની ખાડીથી આશરે બાર ગાઉપર આ સ્થાન છે. અહીં રામે સેતુ બાંધતી વખત નવ ગ્રહનાં સ્થાપન કર્યા છે, એમ કહેવાય છે. લઘુકાળ–
    થોડો સમય.
  7. ૭ સેતુબંધ રામેશ્વર—હિંદુસ્તાનની છેક દક્ષિણે પ્રસિદ્ધ છે. અધ–પાપ.
    ધનુષ્યતીર્થ–રામેશ્વરથી અ!ઠ ગાઉપર સમુદ્રકાંઠે આ તીર્થ છે, ત્યાથી રામનો સેતુ જણાય છે.
  8. ૮ તુંગભદ્રા, કૃતમાળા, પયસ્વિની, તામ્રપર્ણી એ દક્ષિણમાં નદીઓ છે.