આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
બાદશાહે બીરબલને પુછ્યું કે, 'તમારો મહામંત્ર કયો ? બીરબલે કહ્યું કે, 'હજુર ! ગાયત્રી મંત્ર'. શાહે પુછ્યું કે 'તમે ગાઇ પુજક છો તો પછી ગાઇના ચામડાના જોડા કેમ પહેરો છો !' બીરબલે કહ્યું કે. 'સરકાર ! બ્રાહ્મણના પગમાં ૬૮ તીર્થનો વાસ છે તેથી તે પગોનો એને ગોચર્મનો યોગ થવો યોગ્યજ છે, કારણકે તે બંનેના સંગમથી અધીક તીર્થનો મહીમા વધેછે અને તીર્થનું તે વડે રક્ષણ થાય છે, માટે તેમ કરીએ છીએ.' આ યુક્તી સાંભળી શાહ ખુશી થયો.