સભ્યની ચર્ચા:Harsh4101991
Jump to navigation
Jump to search
સ્વાગત[ફેરફાર કરો]
પ્રિય Harsh4101991, ગુજરાતી વિકિસ્રોતમુક્ત સાહિત્યસ્રોતમાં જોડાવા બદલ આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે.
- જગતભરના ગુજરાતી સાહિત્યરસિકો દ્વારા સંકલિત વિકિસ્રોત એ એક મુક્ત સાહિત્યસ્રોત કે મુક્ત પુસ્તકાલય કે ઓનલાઈન લાયબ્રેરી છે, જેમાં પ્રકાશનાધિકાર એટલે કે કૉપીરાઈટની સીમાથી બહાર હોય એવું સાહિત્ય સંપાદિત કરી શકાય છે.
- વિકિસ્રોત:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને પાટી પર થોડો મહાવરો કરવાથી આ સાહિત્યસ્રોતમાં આપ સંપાદન કે સહકાર્ય કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો. અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિમીડિયનોને જણાવી શકો છો. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન કરવું જરૂરી નથી પણ લોગ ઈન કરી કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. અને તમે કરેલા યોગદાનની તવારીખ નોંધાય છે એટલે વિકિસ્રોત ઉપર હમેશાં લોગ ઇન કરીને જ સહકાર્ય કરો અને આપના સહકાર્યનો લાભ બીજાને પણ આપો.
- નવી કૃતિ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવી કૃતિ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો સભાખંડ પર જઈને અન્ય સભ્યોને પૂછી શકો છો.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહિંયા પણ જુઓ : હાલ માં થયેલા ફેરફાર, કોઈ પણ એક કૃતિ.
- વિકિસ્રોત પર સમયાંતરે સહકારી ધોરણે પુસ્તકો ચડાવવાની પરિયોજના ચાલુ હોય છે. આની વિશેષ માહિતી આપને મુખપૃષ્ઠ પર મળી રહેશે.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ : મદદ.
--Sushant savla (talk) ૧૦:૦૧, ૧૯ એપ્રિલ ૨૦૧૨ (IST)
પરિયોજનામાં સહભાગ[ફેરફાર કરો]
હર્ષ ભાઈ અહીં સ્રોત પર પુસ્તક ચઢાવવાનું કાર્ય પરિયોજના અંતર્ગત સહકારી ધોરણે કરવામાં આવે છે. જો આ શામિલ થવા માંગો તો જણાવશો --Sushant savla (talk) ૧૦:૦૧, ૧૯ એપ્રિલ ૨૦૧૨ (IST)
- જરૂરથી સુશાંત ભાઈ. બસ મને આ વિષે થોડું માર્ગદર્શન આપવા વિનંતી. -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૧:૪૯, ૨૭ એપ્રિલ ૨૦૧૨ (IST)
- હર્ષભાઈ, હાલમાં ક્લાસિકલ ગુજરાતી હાસ્ય નવલ ભદ્રંભદ્ર પર કુલ ૬ મિત્રો સહિયારું કામ કરી રહ્યા છે. આ કાર્ય એક પરિયોજના તરીકે હાથ પર લેવામાં આવે છે, અને એક સભ્ય તેનું સંચાલન કરે છે. આ વખતે વ્યોમભાઈએ તેના સંચાલનની જવાબદારી સ્વીકારી છે. દરેક સભ્યોને સંચાલક નિયત સંખ્યામાં પ્રકરણો વહેંચે છે, જે પૂર્ણ થયે તેમને નવું પ્રકરણ ફાળવવામાં આવે છે. સૌથી પહેલી પરિયોજના સુશાંતભાઈની રાહબરી હેઠળ રચનાત્મક કાર્યક્રમની હાથ પર લેવામાં આવી હતી અને તેના પછી ગાંધીજીનાં જ બીજા પુસ્તક સત્યના પ્રયોગો અથવા આત્મકથા પર ૧૩ સભ્યોએ ભેગા થઈને કામ કર્યું અને ૫૨૫ પાનાંનું પુસ્તક ૪ અઠવાડિયામાં પૂર્ણ કરી દીધું. જો તમને સહિયારી રીતે કામ કરવામાં રસ હોય તો અહિં પરિયોજનાની ચર્ચામાં જોડાવ અને ત્યાં અથવા Vyom25નાં ચર્ચાનાં પાનાં પર તેમને સંદેશો લખો. તેઓ આપને પણ એકાદું પ્રકરણ ફાળવી આપશે. ટાઈપ કરતી વખતે એટલું ધ્યાન રાખવાનું કે પુસ્તકમાં હોય તે જ પ્રમાણે જોડણી, વિરામ ચિહ્નો અને વાક્ય રચના આબેહુબ રાખવા. જો કે વધુ માર્ગદર્શન તમને પરિયોજનાની ચર્ચામાં પણ મળી રહેશે અને વ્યોમભાઈ કે સુશાંતભાઈ પણ પૂરું પાડશે. મારી મદદ લેવામાં પણ સંકોચ ના રાખશો.--Dsvyas (talk) ૦૩:૧૮, ૨૭ એપ્રિલ ૨૦૧૨ (IST)
- આપ vyom73163@hotmail.com આ ઈમેલ પર એક ટેસ્ટ મેલ મોલકી દો. અને વ્યોમજી તમને એક પ્રકરણની સ્કેન કોપી મોલકશે. ભદ્રંભદ્રના પ્રકરણ ૬-૧૦ પાનાના હોય છે. આ પ્રક્રણનું નવું પાનું બનાવવા ભદ્રાંભદ્ર પુસ્તકના મેન પેજ પરે જાવ. ત્યાં અનુક્રમણિકા છે. તમને ફાળવેવા પ્રકરણ પર ક્લીક કરશો તેઓ તે તમને નવું પાનું બનાવવા લઈ જશે. નવા પાના પર ટાઈપિંગ શરૂ કરો.--Sushant savla (talk) ૦૭:૪૦, ૨૭ એપ્રિલ ૨૦૧૨ (IST)
- હર્ષભાઈ, હાલમાં ક્લાસિકલ ગુજરાતી હાસ્ય નવલ ભદ્રંભદ્ર પર કુલ ૬ મિત્રો સહિયારું કામ કરી રહ્યા છે. આ કાર્ય એક પરિયોજના તરીકે હાથ પર લેવામાં આવે છે, અને એક સભ્ય તેનું સંચાલન કરે છે. આ વખતે વ્યોમભાઈએ તેના સંચાલનની જવાબદારી સ્વીકારી છે. દરેક સભ્યોને સંચાલક નિયત સંખ્યામાં પ્રકરણો વહેંચે છે, જે પૂર્ણ થયે તેમને નવું પ્રકરણ ફાળવવામાં આવે છે. સૌથી પહેલી પરિયોજના સુશાંતભાઈની રાહબરી હેઠળ રચનાત્મક કાર્યક્રમની હાથ પર લેવામાં આવી હતી અને તેના પછી ગાંધીજીનાં જ બીજા પુસ્તક સત્યના પ્રયોગો અથવા આત્મકથા પર ૧૩ સભ્યોએ ભેગા થઈને કામ કર્યું અને ૫૨૫ પાનાંનું પુસ્તક ૪ અઠવાડિયામાં પૂર્ણ કરી દીધું. જો તમને સહિયારી રીતે કામ કરવામાં રસ હોય તો અહિં પરિયોજનાની ચર્ચામાં જોડાવ અને ત્યાં અથવા Vyom25નાં ચર્ચાનાં પાનાં પર તેમને સંદેશો લખો. તેઓ આપને પણ એકાદું પ્રકરણ ફાળવી આપશે. ટાઈપ કરતી વખતે એટલું ધ્યાન રાખવાનું કે પુસ્તકમાં હોય તે જ પ્રમાણે જોડણી, વિરામ ચિહ્નો અને વાક્ય રચના આબેહુબ રાખવા. જો કે વધુ માર્ગદર્શન તમને પરિયોજનાની ચર્ચામાં પણ મળી રહેશે અને વ્યોમભાઈ કે સુશાંતભાઈ પણ પૂરું પાડશે. મારી મદદ લેવામાં પણ સંકોચ ના રાખશો.--Dsvyas (talk) ૦૩:૧૮, ૨૭ એપ્રિલ ૨૦૧૨ (IST)
મેઘાણીની નવલિકાઓ ખંડ ૧[ફેરફાર કરો]
હર્ષજી, આપનાં અમુલ્ય યોગદાન વડે પરિયોજના મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ સંપન્ન થઈ છે. પરિયોજના સંચાલક લેખે હું આપને હૃદયના ભાવથી અભિનંદન આપું છું. ધન્યવાદ. --Sushant savla (talk) ૨૧:૨૬, ૬ નવેમ્બર ૨૦૧૨ (IST)