પૃષ્ઠ:Punya Prakashnu Stavan.pdf/૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


પુણ્યપ્રકાશનું સ્તવન


વિનયવિજય મુનિ


ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી વિરચિત
આરાધના (પુણ્ય પ્રકાશ)નું સ્તવન

(દોહરા)


સકળ સિદ્ધિદાયક સદા, ચોવીશે જિનરાય,
સદ્‌ગુરુ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમુ પાય.
ત્રિભુવનપતિ ત્રિશલાતણો, નંદન ગુણ ગંભીર,
શાસન નાયક જગ જયો, વર્ધમાન વડવીર.
એક દિન વીર જિણંદને, ચરણે કરી પ્રણામ
ભવિકજીવના હિત ભણી, પૂછે ગૌતમ સ્વામી.