આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી વિરચિત
આરાધના (પુણ્ય પ્રકાશ)નું સ્તવન
(દોહરા)
સકળ સિદ્ધિદાયક સદા, ચોવીશે જિનરાય,
સદ્ગુરુ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમુ પાય. ૧
ત્રિભુવનપતિ ત્રિશલાતણો, નંદન ગુણ ગંભીર,
શાસન નાયક જગ જયો, વર્ધમાન વડવીર. ૨
એક દિન વીર જિણંદને, ચરણે કરી પ્રણામ
ભવિકજીવના હિત ભણી, પૂછે ગૌતમ સ્વામી. ૩