સાહિત્ય અને ચિંતન

વિકિસ્રોતમાંથી
સાહિત્ય અને ચિંતન
રમણલાલ દેસાઈ
૧૯૫૨










સાહિત્ય અને ચિંતન


રમણલાલ વ. દેસાઈ








શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ જન્મ શતાબ્દી ગ્રંથમાળા સંપુટ–૪

વિરાટ ગ્રંથાવલિ
પુસ્તક ત્રણસો ત્રાણુંમું.
 




સાહિત્ય અને ચિંતન




રમણલાલ વસંતલાલ દેસાઈ













આર. આર. શેઠની કંપની
પુસ્તક પ્રકાશક અને વિક્રેતા
મુંબઈ ૪૦૦ ૦૦૨ ■ અમદાવાદ ૩૮૦ ૦૦૧

શ્રી રમણલાલ વ. દેસાઈનાં પુસ્તકો

સંપુટ–૧

નવલકથાઓ
જયંત ★ શિરીષ ★ કોકિલા ★ હૃદયનાથ ★ સ્નેહયજ્ઞ ★ દિવ્યચક્ષુ ★ પૂર્ણિમા ★ ભારેલો અગ્નિ ★ ગ્રામલક્ષ્મી ૧ થી ૪ ★ બંસરીપત્રલાલસાઠગશોભના ★ ક્ષિતિજ ★ ભાગ્યચક્ર ★ હૃદયવિભૂતિછાયાનટ ★ પહાડનાં પુષ્પ ★ ઝંઝાવાત ★ પ્રલય ★ કાલભોજ ★ સૌંદર્ય જ્યોત ★ શૌર્યતર્પણ ★ બાલાજોગણ ★ સ્નેહસૃષ્ટિ ★ શચી પૌલોમી ★ ત્રિશંકુ ★ આંખ અને અંજન

સંપુટ–ર

નવલિકાસંગ્રહો
ઝાકળ ★ પંકજરસબિંદુકાંચન અને ગેરુદીવડી ★ સતી અને સ્વર્ગ ★ ધબકતાં હૈયાં ★ હીરાની ચમક

સંપુટ-૩

કાવ્યસંગ્રહો
નિહારિકા ★ શમણાં
નાટ્યસંગ્રહો
શંકિત હૃદય ★ પરી અને રાજકુમાર ★ અંજની ★ તપ અને રૂ૫ ★ પુષ્પોની સૃષ્ટિમાં ★ ઉશ્કેરાયેલો આત્મા ★ કવિદર્શન ★ પૂર્ણિમા ★ બૈજુ બ્હાવરો ★ વિદેહી ★ સંયુક્તા

સંપુટ-૪

પ્રકીર્ણ
જીવન અને સાહિત્ય ૧–૨ ★ સુવર્ણ રજ ★ ગ્રામોન્નતિ ★ ગઈકાલ ★ મધ્યાહ્નનાં મૃગજળ ★ તેજચિત્રો ★ અભિનંદન-ગ્રંથ ★ ઊર્મિ અને વિચાર ★ ગુલાબ અને કંટક ★ અપ્સરા ૧ થી ૫ ★ રશિયા અને માનવશાંતિ ★ ગુજરાતનું ઘડતર ★ સાહિત્ય અને ચિંતન ★ ભારતીય સંસ્કૃતિ ★ માનવ સૌરભ ★ કલાભાવના ★ શિક્ષણ અને સંસ્કાર ★ ઊર્મિના દીવડા
ચિંતનમાળા
મહાત્મા ગાંધી ★ ન્હાનાલાલ-કલાપી ★ માનવી – પશુની દૃષ્ટિએ અને આત્મનિરીક્ષણ ★ ભારતીય કલા – સાહિત્ય – સંગીત ★ સમાજ અને ગણિકા ★ અંગત – હું લેખક કેમ થયો ?











અર્પણ

આજીવન સાહિત્યકાર
અને
આજના સર્વ સાહિત્યકારોના છત્રસમા
દિવાનબહાદુર શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીને
અત્યંત માન સહ

રમણલાલ વ. દેસાઈ


DESAI, Ramanlal V.

SAHITYA ANE CHINTAN, Miscellaneous
R. R. Sheth & Co., Bombay-Ahmedabad
1993
081


© ડૉ. અક્ષયકુમાર ર. દેસાઈ

શ્રી ૨. વ. દેસાઈ જન્મ શતાબ્દી આવૃત્તિ–મે, ૧૯૯૩


મૂલ્ય રૂ. ૫૦-૦૦


પ્રકાશક
ભગતભાઈ ભુરાલાલ શેઠ
આર. આર. શેઠની કંપની
મુંબઈ ૪૦૦ ૦૦૨ * અમદાવાદ ૩૮૦ ૦૦૧


મુદ્રક
પ્રવીણ પ્રિન્ટરી
ભગતવાડી,

સોનગઢ ૩૬૪ ૨૫૦





પ્રકાશકનું વિજ્ઞાપન

આપણા દેશની સાર્વજનિક પુસ્તકાલય પ્રવૃત્તિના પુરસ્કર્તા સ્વ. શ્રી મોતીભાઈ ન. અમીનની યાદગીરીમાં ભૂતપૂર્વ વડોદરા રાજ્ય પુસ્તકાલય મંડળે ભંડોળ એકઠું કરીને પ્રત્યેક વર્ષની પહેલી ફેબ્રુઆરીએ આવતી સ્વર્ગસ્થની પુણ્યતિથિએ ઉપર્યુક્ત વિષયનું એક શિષ્ટ પુસ્તક પ્રસિદ્ધ કરાવેલું છે.

એ મંડળનું, વડોદરા રાજ્યના વિલીનીકરણ બાદ અસ્તિત્વ બંધ થતાં સદર ભંડોળનો વહીવટ કરવાનું કામ એ મંડળે ઠરાવ કરીને પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિ.ને સુપ્રત કર્યું છે. તદ્દનુસાર, સ્વર્ગસ્થની તા. ૧–૨–૧૯૫૨ના રોજ આવતી સંવત્સરીના દિવસે આ પુસ્તક પ્રગટ કરતાં આનંદ થાય છે.

આ પ્રસંગ સાથે એક વિશેષ હર્ષની હકીકત તે એ છે કે, આ મંડળને સોંપાયેલા આ કાર્યને એના પ્રથમ પગલે જ ગુજરાતના અગ્રગણ્ય સાક્ષર શ્રી રમણલાલ વ. દેસાઈ લિખિત પુસ્તક પ્રાપ્ત થાય છે.

સાક્ષર શ્રી રમણલાલ અને એમનાં સર્જનો સંબંધી કાંઈ પણ આજે લખવું એ તો સૂર્યને ઓળખાવવા સરખું છે.

એઓશ્રીએ લખેલા સાહિત્ય, ચિંતન તેમ જ ઇતર પ્રકીર્ણ લેખો વખતોવખત કેટલાંક સામાયિંકોમાં પ્રસિદ્ધ થયેલા તે અહીં ગ્રંથસ્થ કરાયા છે.

સામયિંકો અને દૈનિક વર્તમાનપત્રોમાં આવા ચિરંજીવ લેખો છપાય છે અને પછી તે લુપ્તપ્રાય થઈ જાય છે; તેવા લેખો જો આ રીતે ગ્રંથસ્થ કરવામાં આવે તો જનતા પર ભારે ઉપકાર થઈ શકે.

આ સ્મારકમાળા અંગે જીવનચરિત્ર, ધર્મ, નીતિશિક્ષણ, વિજ્ઞાન, પ્રવાસ, ગ્રામોન્નતિ, વ્યાયામ, ઈતિહાસ, સાહિત્ય જેવા લોકોપકારક વિષયોનાં વાર્તેતર ઉત્તમ પુસ્તકો પ્રગટ કરવાની યોજના છે. તદ્દનુસાર આ ૯ મા પ્રકાશનમાં ઉપર્યુક્ત પુસ્તક પ્રગટ કરાયું છે. તેના વાચનથી વાચક–જનતામાં સાહિત્યવિષયક પ્રચલિત ભાવનાઓને પોષણ મળશે તેમ જ અન્ય ચિંતનવિષયક લેખોથી વાચક વિચાર પ્રચૂર – ચિંતનશીલ – સાહિત્ય – વાંચવા પ્રેરાશે એવી અમારી શ્રદ્ધા અસ્થાને નહિ નીવડે.

આશા છે, સ્વ. શ્રી મો. ન. અમીન સ્મારક ગ્રંથમાળાના વાચકોને એ ગમશે.

વડોદરા
તા. ૧–૨–પર
ચુનીલાલ પુ. શાહ
અધ્યક્ષ
પુ. સ. સ. મંડળ, લિમિટેડ
 




લેખકની પ્રસ્તાવના

શ્રી મોતીભાઈ અમીન સરખા નૂતન ગુજરાતના એક સર્જકના નામનું સ્મરણ કરાવતી ગ્રંથશ્રેણીમાં મારા ગદ્યલેખોનો સંગ્રહ પ્રગટ થાય એ મને જરૂર ગમે.

જુદે જુદે સમયે લખેલા લેખ ‘સાહિત્ય અને ચિંતન’ને નામે આ ગ્રંથમાળામાં લેવા માટે સંચાલકોનો આભાર માનું છું.

કૈલાસ, વડોદરા
તા. ૨૯-૧-પર
રમણલાલ વ. દેસાઈ
 

























મુદ્રણો
પ્રથમ આવૃત્તિ : ૧૯૫૨
બીજું પુનર્મુદ્રણ શતાબ્દી વર્ષ : મે, ૧૯૯૩
પ્રત : ૭૫૦

રમણલાલ વ. દેસાઈ
વડલા શા વિશાળ કુટુંબની જવાબદારી વહેતાં, વડોદરા જેવા મહત્ત્વપૂર્ણ ને પ્રગતિશીલ રાજ્યમાં ઉચ્ચ કક્ષાની વહીવટી કામગીરી દક્ષતાથી બજાવતાં, સંગીત-વ્યાયામ-રમતગમત-પુરાતત્ત્વ-સામાજિક સેવાકાર્ય એવા અનેકવિધ શોખ સાથે લેખનને પૂરક-પોષક એવી સંશોધનપ્રવૃતિમાં સતત રમમાણ રહેતાં રહેતાં માતબર અને મબલખ સાહિત્યના સર્જન દ્વારા ગુજરાતને અડધી સદી સુધી આ સિદ્ધહસ્ત સર્જકે પોતાની સાથે રાખ્યું હતું. રમણલાલ વ. દેસાઈનાં સાહિત્યસર્જન પાછળ ગુજરાત ઘેલું હતું. એમની નવી નવલ ક્યારે બહાર પડે છે તે જોવા-જાણવા ગુજરાતનો વિશાળ વાચકવર્ગ
જન્મ : ૧૨-૫-૧૮૯૨
નિધન: ૨૦-૯-૧૯૫૪
ઉત્કંઠિત રહેતો. એમનાં પાત્રો પરથી સંતાનોનાં નામ પડાતાં ! ત્યારે સંસ્કારિતાનો એક માપદંડ ‘૨., વ. દે. નું સાહિત્ય વાંચ્યું છે કે નહિ’ તે હતો. કેટકેટલા નવોદિત અને પછીથી પ્રતિષ્ઠિત લેખકોનો પ્રેરણાસ્રોત હતા. ૨. વ. દે.. એક આખા યુગને એમણે પોતાના સર્જનમાં સમેટ્યો અને બીજા યુગોનાં ચિત્રણ-અર્થધટનમાંયે એને વિવિધ સંદર્ભે સાંકળી લીધો છે. આ યુગમૂર્તિ વાર્તાકાર આજેય હોશથી વંચાય છે, એમના વિપુલ સર્જનના અમર વારસાને એમની જન્મશતાબ્દી નિમિત્તે, ફરી એકવાર કલાત્મક કાયાકલ્પ કરી, પુનઃ પ્રકાશિત કરતાં ગૌરવ અને આનંદ અનુભવીએ છીએ...


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.